કેસરીનાથનું નિધન, સુપ્રીમ કોર્ટના સન્માનમાં જ્યારે ટૉયલેટ રોકીને બેસી રહ્યા હતા

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળ અને બિહારના પૂર્વ રાજ્યપાલ રહી ચૂકેલા કેસરીનાથ ત્રિપાઠીનું રવિવારના રોજ સવારે નિધન થયું છે. 88 વર્ષની ઉંમરમાં તેમણે પ્રયાગરાજમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. હાલમાં જ ઘરમાં પડી જવાને કારણે તેમના ખભાનું હાડકું તૂટી ગયું હતું. ત્રણ દિવસ પહેલા તેઓ હોસ્પિટલમાંથી ઘરે આવ્યા હતા. ત્રિપાઠી ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતાઓમાંના એક હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સિવાય તેમની પાસે થોડા સમય સુધી બિહાર, મેઘાલય અને મિઝોરમના રાજ્યપાલનો વધારાનો ચાર્જ પણ હતો.

તેમના નિધન પર PM મોદીએ દુ:ખ વ્યક્ત કરતા તેમને UPમાં ભાજપને મજબૂતી આપનારા પ્રમુખ નેતા કહ્યા. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે, 'શ્રી કેસરીનાથ ત્રિપાઠીજી તેમની સેવા અને બુદ્ધિમત્તા માટે જાણીતા હતા. તેઓ બંધારણીય બાબતોમાં નિપુણ હતા. તેમણે ઉત્તર પ્રદેશમાં ભાજપને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને રાજ્યની પ્રગતિ માટે સખત મહેનત કરી હતી. તેમના મૃત્યુથી ઘણું દુઃખ થયું. તેમના પરિવાર અને ચાહકોને આશ્વાસન. ઓમ શાંતિ.'

બહુમત પરીક્ષણ થયું ત્યાં સુધી બેસી રહ્યા હતા ત્રિપાઠી

કેસરીનાથ ત્રિપાઠી સાથે જોડાયેલ એક રસપ્રદ કિસ્સો છે જે કામ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ઉત્તર પ્રદેશમાં વર્ષ 1998મા કલ્યાણ સિંહની સરકાર હતી, પરંતુ રાજ્યપાલ રોમેશ ભંડારીએ રાતોરાત કલ્યાણ સિંહને CM પદ પરથી હટાવીને કોંગ્રેસના નેતા જગદંબિકા પાલને મુખ્યમંત્રી બનાવી દીધા. આ પછી ભાજપે તરત સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને કોર્ટમાંથી બહુમત પરીક્ષણનો આદેશ આવી ગયો.

ભાજપ માટે આ રાહતના સમાચાર હતા. કોર્ટના સખ્ત આદેશો હતા કે, ફ્લોર ટેસ્ટ પૂર્ણ થાય ત્યાં સુધી વિધાનસભા સ્થગિત નહીં થશે અને સ્પીકર પણ તેમની સીટ પરથી ઉભા થશે નહીં. તે સમયે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં કેસરીનાથ ત્રિપાઠી જ સ્પીકર હતા. કેસરી તે સમયે એવી બીમારીથી પીડિત હતા કે તેમને વારંવાર ટોયલેટ માટે વોશરૂમ જવું પડતું હતું. પરંતુ કોર્ટના આદેશ આગળ તેઓ મજબૂર હતા.

સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર ન થાય તે માટે તેમણે પાણીથી પણ અંતર રાખ્યું હતું, જેથી તેમને વારંવાર ટોયલેટ માટે નહીં જવું પડે. કાર્યવાહી શરૂ થઈ તો શાસક પક્ષની ખુરશી પર કોણ બેસશે તે મુદ્દે બંને પક્ષો સામસામે લડવા લાગ્યા. સમયની નાજુકતાને જોતા કેસરીનાથ ત્રિપાઠીએ પોતાની આજુબાજુમાં બે ખુરશીઓ મુકાવી અને એક બાજુ જગદંબિકા પાલને તો બીજી બાજુ કલ્યાણ સિંહને બેસાડ્યા.

આ દરમિયાન, બહુમત પરીક્ષણ થયું ત્યાં સુધી, ત્રિપાઠી ટોયલેટ રોકીને બેસી રહ્યા અને તેમની સીટ પરથી નહીં હલ્યા. જો કે, બહુમત પરીક્ષણમાં ભાજપને 225 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને માત્ર 196 વોટ મળી શક્યા હતા. ભાજપ બહુમતી મેળવી ચૂક્યું હતું.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.