- National
- જાણો શા માટે અઝરુદ્દીને એક કલાક સુધી બહાર ઊભા રહેવું પડ્યું
જાણો શા માટે અઝરુદ્દીને એક કલાક સુધી બહાર ઊભા રહેવું પડ્યું
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપુર્વ કેપ્ટન મહોમ્મદ અઝરુદ્દીન હવે ક્રિકેટની રાજનીતિમાં પોતાની કિસ્મત અજમાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ અ રસ્તો પણ તેમના માટે મુશ્કેલ બની રહેશે તેવું દેખી રહ્યું છે. રવિવારે ઉપ્પલમાં હૈદરાબાદ ક્રિકેટ એસોશિએશનની બેઠમાં અઝરુદ્દીનને સામેલ કરવામાં આવ્યા ન હતા, જેને લઈને હંગામો ઊભો થયો છે. મહોમ્મદ અઝરુદ્દીને રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થયેલી સ્પેશિયલ બોડી મીટિંગમાં તેમને સામેલ ન દેવા પર હૈદરાબાદ ક્રિકેટ આસોશિએશનની આકરી આલોચના કરી હતી.
આ સ્પેશિયલ બોડીની બેઠક સવારે શરૂ થઈ હતી, પરંતુ અઝહરને એક કલાક કરતા પણ વધુના સમય સુધી બહાર ઊભા રાખવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે અઝહરે કહ્યું કે પોતે પુર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહ્યા છે અને એક વાર એસોશિએશનનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે, તો તેમને અંદર જવાની પરવાનગી આપવામાં આવે. પરંતુ બેઠક થકમ થવા પર અઝરુદ્દીને પીસીએના વર્તમાન વલણને લઈને તેમની આકરી નિંદા કરી હતી.
2000માં મેચ ફિક્સીંગમાં આરોપી સાબિત થતા તેમની ક્રિકેટ કરીયર સમાપ્ત થઈ ગયું હતું.

