જ્યારે આતંકવાદીએ મને જોયો અને મેં તેને જોયો, રાહુલે કેમ્બ્રિજમાં કાશ્મીરની...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં UKના પ્રવાસે છે. તેમણે તાજેતરમાં કેમ્બ્રિજમાં એક સંબોધન કર્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો એક કિસ્સો પણ શેર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કાશ્મીરમાં જ્યારે તેમનો એક આતંકવાદીનો સામનો થયો ત્યારે શું થયું? રાહુલે દાવો કર્યો હતો કે સુરક્ષા દળોએ તેમને કાશ્મીરમાં પગપાળા યાત્રા ન કરવા કહ્યું હતું. પરંતુ તેમ છતાં તેમણે આ યાત્રા કાઢી.

રાહુલ ગાંધીએ કહ્યું, જ્યારે હું યાત્રા કરી રહ્યો હતો. અમને કહેવામાં આવ્યું કે અમને મારી નાંખવામાં  આવશે. તેમ છતાં અમે યાત્રા કરી રહ્યા હતા. ત્યારે એક વ્યક્તિએ મને કહ્યું કે, મારે વાત કરવી છે. સુરક્ષાકર્મીઓએ કહ્યું કે, આવું ન કરો, તમે લોકોને નજીક આવવાનું આમંત્રણ ન આપો. રાહુલે કહ્યું, તો પણ મેં તેને બોલાવ્યો હતો, તે વ્યક્તિ મારી પાસે આવ્યો.

રાહુલે વધુમાં કહ્યું કે, તે વ્યક્તિએ તેમને પૂછ્યું કે, શું તમે ખરેખર અમારી સમસ્યા સાંભળવા આવ્યા છો? મેં કહ્યું, હા. રાહુલે કહ્યું કે, જ્યારે અમે આગળ ચાલી રહ્યા હતા. તે વ્યક્તિએ મને કહ્યું 'ત્યાં જુઓ, તમે તેમને જોઈ રહ્યા છો.' રાહુલે કહ્યું, ક્યાં? તેમણે કહ્યું, 'ત્યાં'. મેં કહ્યું, 'હા'. રાહુલે કહ્યું કે, તે વ્યક્તિએ મને કહ્યું કે તે આતંકવાદી છે. સામાન્ય રીતે આતંકવાદીઓએ મને મારી નાખવો જોઈએ. એવા વાતાવરણમાં હું હતો. હું તેની સામે જોઈ રહ્યો હતો, તે મારી તરફ જોઈ રહ્યો હતો. મને લાગ્યું કે, હું મુશ્કેલીમાં છું. આતંકવાદીએ મને કેમ મારવો જોઈએ? પરંતુ અમે એકબીજાને જોતા હતા. હું તેને જોઉં છું અને કંઈ થતું નથી. અમે આગળ વધીએ છીએ.'

રાહુલે કહ્યું કે, 'આવું કેમ થયું, એટલા માટે નહીં કે તેની પાસે કંઈ કરવાની શક્તિ ન હતી. આવું એટલા માટે થયું, કારણ કે, હું તેને સાંભળવા આવ્યો હતો. હું કોઈ હિંસાના ઈરાદાથી આવ્યો નથી અને ઘણા બધા લોકો તે જોઈ રહ્યા હતા.'

રાહુલ ગાંધીએ કહ્યું, મીડિયા અને ન્યાયતંત્ર કબજે થઈ ગયું છે. દલિતો અને લઘુમતીઓ, આદિવાસીઓ પર હુમલા થઈ રહ્યા છે. જો કોઈ ટીકા કરે તો તેને ધમકાવવામાં આવે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે હું કાશ્મીર જઈ રહ્યો હતો ત્યારે સુરક્ષાના લોકો મારી પાસે આવ્યા હતા. તેણે કહ્યું કે, અમારે તમારી સાથે વાત કરવી છે. તેમણે કહ્યું કે, હું કાશ્મીરમાં યાત્રા નહિ કરી શકું. આ ખરાબ વિચાર છે. મારા પર ગ્રેનેડ ફેંકી શકાય છે. પરંતુ મેં તેમને કહ્યું કે, મને મારા પક્ષના લોકો સાથે વાત કરી લેવા દો. મેં તેમને કહ્યું કે, હું યાત્રા કરીશ.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.