પત્નીએ દહેજનો કેસ દાખલ કરતાં પતિ 7 થેલાઓમાં સિક્કા લઈને કોર્ટ પહોંચ્યો!

જયપુરની ફેમિલી કોર્ટની લિંક ADJ કોર્ટમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એમાં બન્યું એવું કે, દહેજ ઉત્પીડનના કેસમાં કોર્ટે આરોપી પતિને જેલમાં મોકલી આપવા અને ભરણપોષણની બાકી રકમ (55 હજાર રૂપિયા) પત્નીને ચૂકવવાનો આદેશ આપ્યો. આના પર આરોપીના સગાઓએ પૈસા પણ જમા કરાવ્યા, પરંતુ આ પ્રકારની 55 હજારની રકમ જોઈને બધા આશ્ચર્ય ચકિત થઇ ગયા.

હા, આવું એટલા માટે કે, કૌટુંબિક વિવાદને કારણે પતિએ ભરણપોષણના બાકી નીકળતા રૂ. 55,000ની રકમ રોકડા સિક્કાઓમાં જમા કરાવી હતી. હવે તમે વિચારતા જ હશો કે, ભાઈ, 7 થેલાઓમાં 55 હજાર રૂપિયાના સિક્કાઓ લાવવાની શું જરૂર હતી? તો અહીં તમને જણાવી દઈએ કે, પતિએ સિક્કામાં 55 હજાર રૂપિયા જમા કરાવ્યા અને આ સિક્કાઓનું વજન લગભગ 280 કિલો હતું. તેથી જ તેને થેલાઓમાં પેક કરીને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે થેલાઓમાંથી સિક્કાઓનો અવાજ સંભળાયો ત્યારે બધા ચોંકી ગયા. તમામ થેલાઓમાં 1, 2, 5 અને 10 રૂપિયાના સિક્કા ભરેલા હતા. આ પછી કોર્ટે સિક્કાઓને સુરક્ષિત રાખવાના નિર્દેશ આપ્યા હતા.

દશરથ કુમાવતના લગ્ન 12 વર્ષ પહેલા સીમા કુમાવત સાથે થયા હતા. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સીમાએ તેના પતિ વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ નોંધ્યો છે અને આ કેસમાં ટ્રાયલ ચાલી રહી છે. પરંતુ પતિ પર 2.25 લાખનું ભરણપોષણ ભથ્થું બાકી ચડી ગયું હતું. આવા સંજોગોમાં હરમડા પોલીસ સ્ટેશને બાકી રકમ ન ચૂકવતા તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી બાકી નીકળતી રકમનો પ્રથમ હપ્તો ચુકવતા કોર્ટે તેને જેલ હવાલે કર્યો હતો. દશરથ કુમાવત જેલમાં હોવાને કારણે તેના પરિવારને 55 હજાર રૂપિયા સિક્કામાં જમા કરાવ્યા. જોકે, 55 હજાર ઉપરાંત હજુ પણ 1.70 લાખ રૂપિયાનું ભથ્થું બાકી છે.

અહીં 55,000 રૂપિયાના સિક્કા આપવા પર પત્ની સીમા કુમાવતના એડવોકેટ રામપ્રકાશ કુમાવતનું કહેવું છે કે, તેને હેરાન કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે, જે અમાનવીય છે. તો બીજી તરફ પતિ વતી એડવોકેટ રમણ ગુપ્તાએ રૂ. 55,000ની કિંમતના સિક્કા ભારતીય ચલણમાં માન્ય હોવાનું જણાવી રકમ સ્વીકારવાની અરજી કરી હતી.

આટલા સિક્કા જોઈને કોર્ટે પણ એમ કહ્યું કે, આ રકમની ગણતરીમાં તો 10 દિવસનો સમય લાગી જશે. હવે આટલા સિક્કા કેવી રીતે અને ક્યારે ગણવા? આ માટે કોર્ટે પતિને આદેશ આપ્યો છે કે, આ તમામ સિક્કાઓને 1000 રૂપિયા ગણી અલગ અલગ થેલાઓ બનાવવામાં આવે અને તેની ગણતરી કરવામાં આવે. આટલા બધા સિક્કાઓની યોગ્ય ગણતરી માટે 26 જૂનની તારીખ પણ નક્કી કરવામાં આવી છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.