'ભારતમાં મુસલમાનોને રહેવા દેવાની મંજૂરી આપનાર તમે કોણ છો' ભાગવત પર ભડક્યા ઓવૈસી

PC: theleaderhindi.com

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના 'મુસલમાનોને ડરવાની જરૂર નથી'ના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. ઓવૈસીએ પૂછ્યું કે, મુસલમાનોને ભારતમાં રહેવા દેનાર કે આપણા ધર્મનું પાલન કરનાર મોહન કોણ છે? આટલું જ નહીં, ઓવૈસીએ કહ્યું કે, 'અલ્લાહની ઈચ્છા છે, તેથી જ આપણે ભારતીય છીએ.'

હકીકતમાં, સંઘ પ્રમુખ મોહન ભાગવતે તાજેતરમાં જ મુસ્લિમોને લઈને નિવેદન આપ્યું હતું. મોહન ભાગવતે કહ્યું હતું કે, ભારતમાં મુસ્લિમોને ડરવાની કોઈ વાત નથી. ઈસ્લામને કોઈ ડર નથી. પરંતુ તેમણે તેમની શ્રેષ્ઠતાને લઈને મોટી મોટી વાતો કરવાનું ચોક્કસપણે છોડી દેવું જોઈએ.

અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કરીને પૂછ્યું હતું કે, 'મુસલમાનોને ભારતમાં રહેવા દેવા કે આપણા ધર્મનું પાલન કરવા માટે મોહન કોણ છે?' અમે ભારતીય છીએ, કારણ કે અલ્લાહની ઈચ્છા હતી. તેઓએ અમારી નાગરિકતા પર શરતો લગાવવાની હિમ્મત કેમ કરી? અમે અમારા વિશ્વાસને બતાવવા અથવા નાગપુરમાં કહેવાતા બ્રહ્મચારીઓના જૂથને ખુશ કરવા માટે ભારતમાં નથી.

ઓવૈસીએ કહ્યું, ચીન માટે આ 'ચોરી' અને સાથી નાગરિકો માટે 'સીનાજોરી' શા માટે? જો આપણે ખરેખર યુદ્ધમાં છીએ, તો શું સંઘ સરકાર 8 વર્ષથી સૂઈ રહી છે? તેમણે પૂછ્યું કે, મોહનને હિંદુઓના પ્રતિનિધિ તરીકે કોણે પસંદ કર્યા? શું તેઓ 2024માં ચૂંટણી લડી રહ્યા છે? તેમનું સ્વાગત છે. તેમણે કહ્યું કે, એવા ઘણા હિંદુઓ છે જેમને RSSના નિવેદનો ઉશ્કેરણીજનક લાગે છે. આવી સ્થિતિમાં લઘુમતીઓ કેવું મહેસુસ કરે છે, એ તો દૂરની વાત છે.

ઓવૈસીએ પૂછ્યું કે, PM મોદી વિશ્વભરના દેશોના મુસ્લિમ નેતાઓને ગળે લગાવે છે. પરંતુ તેઓ ભારતના એક પણ મુસ્લિમને ગળે લગાવતા જોવા મળ્યા નથી.

રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે પણ મોહન ભાગવતના નિવેદન પર નિશાન સાધ્યું હતું. તેણે લખ્યું, 'હું સંમત છું કે, ભારત ભારત જ રહે. પણ માણસે પણ માણસ જ રહેવું જોઈએ.'

સંઘ પ્રમુખે RSSના મુખપત્ર ઓર્ગેનાઈઝર અને પંચજન્યને ઈન્ટરવ્યુ આપ્યા હતા. જેમાં મોહન ભાગવતે કહ્યું હતું કે, 'ભારત ભારત જ રહેવું જોઈએ તે એક સરળ સત્ય છે. આજે ભારતમાં રહેતા મુસ્લિમોને કોઈ ખતરો નથી. ઈસ્લામને કોઈ ડર નથી. પરંતુ સાથે જ મુસ્લિમોએ તેમની શ્રેષ્ઠતા સાથે જોડાયેલા ધર્માંધ નિવેદનો છોડી દેવા જોઈએ.'

મુસ્લિમો વિશે મોહન ભાગવતે કહ્યું હતું કે, 'અમે એક મહાન જાતિના છીએ, અમે આ દેશ પર એકવાર શાસન કર્યું છે, અને ફરીથી શાસન કરીશું, ફક્ત અમારો રસ્તો જ ખરો છે, બાકીના બધા ખોટા છે. અમે અલગ છીએ, તેથી અમે આવા જ રહીશું, અમે સાથે રહી શકતા નથી, મુસ્લિમોએ, આવા નિવેદનો છોડી દેવા જોઈએ. વાસ્તવમાં, અહીં રહેતા તમામ લોકો, એ પછી તે હિંદુ હોય કે સામ્યવાદીઓ, આવા નિવેદનો છોડી દેવા જોઈએ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp