'ભારતમાં મુસલમાનોને રહેવા દેવાની મંજૂરી આપનાર તમે કોણ છો' ભાગવત પર ભડક્યા ઓવૈસી

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના 'મુસલમાનોને ડરવાની જરૂર નથી'ના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. ઓવૈસીએ પૂછ્યું કે, મુસલમાનોને ભારતમાં રહેવા દેનાર કે આપણા ધર્મનું પાલન કરનાર મોહન કોણ છે? આટલું જ નહીં, ઓવૈસીએ કહ્યું કે, 'અલ્લાહની ઈચ્છા છે, તેથી જ આપણે ભારતીય છીએ.'

હકીકતમાં, સંઘ પ્રમુખ મોહન ભાગવતે તાજેતરમાં જ મુસ્લિમોને લઈને નિવેદન આપ્યું હતું. મોહન ભાગવતે કહ્યું હતું કે, ભારતમાં મુસ્લિમોને ડરવાની કોઈ વાત નથી. ઈસ્લામને કોઈ ડર નથી. પરંતુ તેમણે તેમની શ્રેષ્ઠતાને લઈને મોટી મોટી વાતો કરવાનું ચોક્કસપણે છોડી દેવું જોઈએ.

અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કરીને પૂછ્યું હતું કે, 'મુસલમાનોને ભારતમાં રહેવા દેવા કે આપણા ધર્મનું પાલન કરવા માટે મોહન કોણ છે?' અમે ભારતીય છીએ, કારણ કે અલ્લાહની ઈચ્છા હતી. તેઓએ અમારી નાગરિકતા પર શરતો લગાવવાની હિમ્મત કેમ કરી? અમે અમારા વિશ્વાસને બતાવવા અથવા નાગપુરમાં કહેવાતા બ્રહ્મચારીઓના જૂથને ખુશ કરવા માટે ભારતમાં નથી.

ઓવૈસીએ કહ્યું, ચીન માટે આ 'ચોરી' અને સાથી નાગરિકો માટે 'સીનાજોરી' શા માટે? જો આપણે ખરેખર યુદ્ધમાં છીએ, તો શું સંઘ સરકાર 8 વર્ષથી સૂઈ રહી છે? તેમણે પૂછ્યું કે, મોહનને હિંદુઓના પ્રતિનિધિ તરીકે કોણે પસંદ કર્યા? શું તેઓ 2024માં ચૂંટણી લડી રહ્યા છે? તેમનું સ્વાગત છે. તેમણે કહ્યું કે, એવા ઘણા હિંદુઓ છે જેમને RSSના નિવેદનો ઉશ્કેરણીજનક લાગે છે. આવી સ્થિતિમાં લઘુમતીઓ કેવું મહેસુસ કરે છે, એ તો દૂરની વાત છે.

ઓવૈસીએ પૂછ્યું કે, PM મોદી વિશ્વભરના દેશોના મુસ્લિમ નેતાઓને ગળે લગાવે છે. પરંતુ તેઓ ભારતના એક પણ મુસ્લિમને ગળે લગાવતા જોવા મળ્યા નથી.

રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે પણ મોહન ભાગવતના નિવેદન પર નિશાન સાધ્યું હતું. તેણે લખ્યું, 'હું સંમત છું કે, ભારત ભારત જ રહે. પણ માણસે પણ માણસ જ રહેવું જોઈએ.'

સંઘ પ્રમુખે RSSના મુખપત્ર ઓર્ગેનાઈઝર અને પંચજન્યને ઈન્ટરવ્યુ આપ્યા હતા. જેમાં મોહન ભાગવતે કહ્યું હતું કે, 'ભારત ભારત જ રહેવું જોઈએ તે એક સરળ સત્ય છે. આજે ભારતમાં રહેતા મુસ્લિમોને કોઈ ખતરો નથી. ઈસ્લામને કોઈ ડર નથી. પરંતુ સાથે જ મુસ્લિમોએ તેમની શ્રેષ્ઠતા સાથે જોડાયેલા ધર્માંધ નિવેદનો છોડી દેવા જોઈએ.'

મુસ્લિમો વિશે મોહન ભાગવતે કહ્યું હતું કે, 'અમે એક મહાન જાતિના છીએ, અમે આ દેશ પર એકવાર શાસન કર્યું છે, અને ફરીથી શાસન કરીશું, ફક્ત અમારો રસ્તો જ ખરો છે, બાકીના બધા ખોટા છે. અમે અલગ છીએ, તેથી અમે આવા જ રહીશું, અમે સાથે રહી શકતા નથી, મુસ્લિમોએ, આવા નિવેદનો છોડી દેવા જોઈએ. વાસ્તવમાં, અહીં રહેતા તમામ લોકો, એ પછી તે હિંદુ હોય કે સામ્યવાદીઓ, આવા નિવેદનો છોડી દેવા જોઈએ.'

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.