કોણે બનાવ્યો આગ્રાનો કિલ્લો? સરકારને પણ ખબર નથી, RTIમાં મળ્યો આવો જવાબ

ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં તાજમહલ અને લાલ કિલ્લો વિશ્વ ધરોહરોમાં સામેલ છે. આ સ્મારક દુનિયાભરના લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે અને હજારોની સંખ્યામાં લોકો તેમને જોવા પહોંચે છે. જો આગ્રાના કિલ્લાની વાત કરીએ તો તેના પર રાજપૂતો, મુઘલો, જાટો અને મરઠાઓ સહિત ઘણા રાજવંશોએ કબજો કર્યો. આગ્રાના કિલ્લાને લઈને એક બહેસ અત્યારે ચાલી રહી છે કે તેને કોણે બનાવ્યો હતો? આ જાણકારી હાંસલ કરવા માટે એક RTI કરવામાં આવી હતી, જેમાં હેરાન કરનારો જવાબ મળ્યો છે.

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના આધીન કામ કરતા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) પાસે જૂની ધરોહરોની બધી જાણકારી હોય છે, પરંતુ હેરાનીની વાત એ છે કે અકબરના શાસનકાળ દરમિયાન સૌથી પહેલા આ કિલ્લાને કોણે બનાવ્યો હતો? અને તેને લઈને શું સંશોધન કરવામાં આવ્યા, તેની કોઈ જાણકારી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ પાસે નથી. એક RTIના જવાબમાં વિભાગના લોક સૂચના અધિકારીએ કહ્યું કે, આગ્રાના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું, તેની જાણકારી તેમના કાર્યાલયમાં ઉપલબ્ધ નથી.

કોણે કરી RTI?

આગ્રાના કાલિબાડી વિસ્તારમાં રહેતા ડૉક્ટર દેવાશીષ ભટ્ટાચાર્યએ 27 મેના રોજ માહિતીના અધિકાર (RTI) હેઠળ આગ્રાના કિલ્લા બાબતે જાણકારી માગી હતી. RTIમાં મૂળ રૂપે આગ્રાનો કિલ્લો કોણે બનાવ્યો, એ સવાલ પૂછવામાં આવ્યો હતો.

સમ્રાટ અકબરે આગ્રાના કિલ્લામાં શું બદલાવ કર્યા.

આગ્રાના કિલ્લાના નિર્માણ અગાઉ ત્યાં પર કાર્યવામાં આવેલા કાર્ય શું હતા.

શું જવાબ મળ્યો?

ASI આગ્રા સર્કલના કેન્દ્રીય લોક સૂચના અધિકારી મહેશ ચંદ્ર મીણાએ જવાબ આપ્યો કે, કાર્યાલયમાં પૂછવામાં આવેલા સવાલો સાથે સંબંધિત કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. એવી જાણકારી સમકાલીન સાહિત્યમાં જોવા મળે છે. તો RTI કરનારા ડૉક્ટર ભટ્ટાચાર્યનું કહેવું છે કે, આગ્રાનો કિલ્લો વિશ્વના ઐતિહાસિક સ્થળોમાં સામેલ છે. તેની જાણકારી ASI પાસે હોવી જોઈએ અને જો એમ નથી તો એ સમસ્યા ગંભીર છે. એ મારી સમજથી બહાર છે કે કિલ્લા બાબતે ઐતિહાસિક તથ્યોને બતાવવામાં ASIને સમસ્યા શું છે?

આગ્રા ટુરિસ્ટ વેલફેર ચેમ્બરના સચિવ વિશાલ શર્માએ કહ્યું કે, સવાલનો જવાબ આપવામાં ASIની નિષ્ફળતા અજીબ છે કેમ કે પુરાતત્વવિદ વિશેષ રૂપે ઇતિહાસની તપાસ કરે છે અને સ્મરકોના ઇતિહાસ બાબતે પૂરી જાણકારી રાખે છે. જેનો ઉપયોગ તેઓ સ્મારકો બનાવી રાખવા માટે કરે છે. આગ્રાના કિલ્લાનો ઇતિહાસ પહેલાથી જ કિલ્લાના પ્રવેશદ્વારના એક પથ્થરના પાટિયા પર છે, છતા ASI કિલ્લા બાબતે સરળ સવાલોનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.