કોણ છે મોનૂ માનેસર જેના નામ પર ઝઘડી પડ્યા હિન્દુ-મુસ્લિમ, 5 લોકોના મોત

રાજધાની દિલ્હીથી નજીક હરિયાણાના ઘણા વિસ્તાર સોમવારે સાંપ્રદાયિક હિંસાની આગમાં સળગી ઉઠ્યા. નૂહમાં વૃજમંડળ યાત્રા પર પથ્થરમારા બાદ બે સમુદાયો વચ્ચે હિંસા ભડકી ઉઠી. નૂહથી ગુરુગ્રામ સુધી ઠેર ઠેર હિંસા, પથ્થરમારો અને ફાયરિંગ થઈ. હિંસામાં 2 હોમગાર્ડ સહિત 5 લોકોના મોત થઈ ગયા, જ્યારે 12 પોલીસકર્મીઓ સહિત ઘણા લોકો ઇજાગ્રસ્ત થવાના સમાચાર છે. હોડલના DSP સજ્જન સિંહના માથામાં ગોળી લાગી છે. તો ગુરુગ્રામ ક્રાઇમ યુનિટના એક ઇન્સ્પેક્ટરને પેટમાં ગોળી લાગી છે.

ઉપદ્રવીઓએ લગભગ 3 ડઝન વાહનોને આગ લગાવી દીધી. નૂહમાં લાંબા સમયથી તણાવ હતો. જો કે, તાત્કાલીન કારણોમાં મોનૂ માનેસરનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, મોનૂ માનેસરે એક દિવસ અગાઉ જ વીડિયો જાહેર કરીને જાહેરાત કરવામાં આવી હતી કે તે યાત્રામાં સામેલ થવા જઈ રહ્યો છે. ત્યારબાદ જ તણાવ ફેલાવાનો શરૂ થઈ ગયો હતો. મેવાતથી નજીક રાજસ્થાનના ભરતપુરના નાસિર અને જુનેદ હત્યાકાંડમાં આરોપી મોનૂ માનેસરના મેવાત આવવાના સમાચાર ફેલાતા સોશિયલ મીડિયા પર બંને પક્ષોએ એક-બીજાને પડકાર અને ધમકી આપવાની શરૂ કરી દીધી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે, વીડિયો જોઈને રાજસ્થાનના ભરતપુરના પોલીસ ટીમ મોનૂને પકડવા માટે નૂહ પહોંચી હતી, પરંતુ મોનૂ માનેસર યાત્રામાં પહોંચ્યો નહોતો. વૃજમંડળ યાત્રા ગુરુગ્રામની સિવિલ લાઇનથી શરૂ થઈ હતી અને બપોરે નૂહના ખેડલા વળાંકની આસપાસ પહોંચવા પર હોબાળો થઈ ગયો. આરોપ છે કે યાત્રામાં સામેલ લોકો તરફથી નારા લગાવવામાં આવી રહ્યા હતા. ત્યારે એક ગાડીમાં સવાર બીજા સમુદાયના કેટલાક લોકોએ યાત્રા રોકી દીધી. આ દરમિયાન યાત્રા પર પથ્થરમારો થઈ ગયો. ઉપદ્રવીઓએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો. નૂહ શહેરની અંદર પણ તે ઉપદ્રવ ફેલાઈ ગયો.

કોણ છે મોનૂ માનેસર?

બજરંગ દળનો સભ્ય મોનૂ માનેસર હરિયાણા ખાસ કરીને મેવાત ક્ષેત્રમાં ગૌરક્ષકોનો પ્રમુખ ચહેરો છે. તે પોતાના કેટલાક સાથીઓ સાથે ગૌતસ્કરી રોકવા માટે કામ કરવાનો દાવો કરે છે. ગૌતસ્કરી વિરોધી અભિયાનોને લઈને મોનૂ માનેસર અગાઉ પણ ચર્ચામાં રહ્યો છે. મોનૂનું નામ થોડા મહિના અગાઉ ત્યારે પણ ખૂબ ચર્ચામાં રહ્યું જ્યારે નાસિર અને જુનેદનું અપહરણ કરીને તેમની હત્યાનો આરોપ લાગ્યો. જો કે, મોનૂ માનેસરે કહ્યું હતું કે, દિવસે આ ઘટના થઈ તે ગુરુગ્રામમાં હતો અને તેનું તેની સાથે કોઈ લેવું-દેવું નથી. મોનૂ માનેસર યુટ્યુબ પર પણ ફેમસ છે. તેના ફેસબુક પર 83,000 અને યુટ્યુબ પર 2,05,000 સબ્સ્ક્રાઇબર્સ છે. તે યુટ્યુબ ચેનલ પર મોટા ભાગે ગૌરક્ષા સાથે જોડાયેલા વીડિયો શેર કરે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.