પિતા-ભાઈ-પતિનું મોત, ગામના 500 લોકોએ મહિલાની દીકરીનું 10 લાખનું મામેરું કર્યુ

આ સ્ટોરી વાંચીને ચોક્કસ તમારી આંખમાંથી હર્ષના આંસૂ છલકી ઉઠશે કે આજે પણ એવા લોકો છે જે ભગવાનની ગરજ પૂરી કરી શકે છે. હરિયાણામાં પરણેલી મૂળ રાજસ્થાનની મહિલાની 2 દિકરીના લગ્ન હતા, પરંતુ પોતાનો એકનો એક ભાઇ એટલે કે દીકરીના મામા અને મહિલાના પિતા એટલે દીકરીના નાનાનું અવસાન થઇ ગયું હતું, એટલે મહિલાને ચિંતા હતી કે રિવાજ પ્રમાણે બે દીકરીઓના મામેરા કેવી રીતે ભરાશે? પરંતુ તમે માનશો નહી, મહિલાના પિયરના ગામના 500 લોકોએ 10 લાખનું મામેરું ભર્યું ત્યારે હરિયાણાના લોકોની આંખમાંથી પણ હર્ષના આંસૂ છલકી ઉઠ્યા હતા. બસ, એવી જ રીતે કે જેમ ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાની દીકરી નાનીબાઇનું મામેરું ભર્યું હતું. રાજસ્થાનના આ ગામના અને સમાજના લોકોને સલામ છે. રાજસ્થાનમાં મામેરુ ભરવાની રસમને ભાતની રસમ કહેવામાં આવે છે.

હરિયાણાના ફતેહાબાદના જાંડવાલા બાગડ ગામમાં પરણેલી મીરાની બે પુત્રીઓના લગ્ન નક્કી થયા છે. મીરાનું પિયર રાજસ્થાનના નેઠરાના ગામમાં છે. નેઠરાનાના જોરા રામ બેનીવાલની પુત્રી મીરાના લગ્ન હરિયાણાના જાંડવાલા બાગડ ગામમાં થયા હતા. મીરાને બે પુત્રી છે એક સોનૂ અને બીજી મીના. મીરાના પતિનું અવસાન થઇ ગયું હતું અને હવે બે દીકરીઓના લગ્ન નક્કી થયા હતા. બીજી તરફ મીરાના પિતા જોરા રામનું  અને મીરાના ભાઇનું પણ અવસાન થઇ ચૂક્યું હતું. હવે મીરા પાસે પિયરમાં પોતીકું કહી શકાય તેવું કોઇ નહોતું.

હવે સોનૂ અને મીનાના લગ્નમાં ભાત પુરવા માટે મીરા આમંત્રણની એક પરંપરાને પુરી કરવા માટે રાજસ્થાનના નેઠરાના પહોંચી હતી. ભાઇની સમાધી પર તિલક કરીને મીરા ચોંધાર આંસુએ રડી પડી હતી. આ દ્રશ્ય ગામના લોકોએ જોયું હતું. મીરા નેઠરાનાથી પાછી હરિયાણા પહોંચી ગઇ હતી. તેને ચિંતા હતી કે મામેરું કેવી રીતે ભરાશે?

પણ જ્યારે ભાત ભરવાનો દિવસ આવ્યો ત્યારે નેઠરાનાથી 500 લોકો મામેરું લઇને હરિયાણા પહોંચ્યા અને 10 લાખ રૂપિયાની ભાતની વિધીમાં ભરી દીધા. ગામના લોકોને આટલી મોટી સંખ્યામાં જોઇને મીરાની આંખમાંથી દડદડ આસૂં સરી પડ્યા હતા. ઉપસ્થિત લોકો પણ આ દ્રશ્ય જોઇને અચંબિત થઇ ગયા હતા. ગામના લોકોએ મીરાના આંસૂ લુછીને કહ્યું કે, તારો ભાઇ નથી કે નાના નથી તો શું થયું, ગામના 500 લોકો તારા ભાઇ જ છે.

આ વાત સાંભળીને ગુજરાતી આદ્ય કવિ નરસિંહ મહેતાની વાત યાદ આવી ગઇ કે ભગવાન કૃષ્ણ પર અપાર શ્રધ્ધા ધરાવનાર નરસિંહ મહેતાની દીકરીનું મામેરું ભરવાનું હતું, પરંતુ પૈસા તો હતા નહી, ભગવાન કૃષ્ણ જાતે શેઠનું રૂપ ધારણ કરીને આવ્યા હતા અને નાનીબાઇનું મોટું મામેરું ભરી દીધું હતું..

About The Author

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.