ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય કેમ અને કેવી રીતે થયો?ખડગેએ સમિતિની રચના કરી

છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પાર્ટીનું ચૂંટણીમાં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે, સ્થિતિ એવી છે કે હવે પાર્ટીની સરકાર માત્ર કેટલાક ગણ્યા ગાંઠ્યા રાજ્યોમાં જ બચી છે. તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જેને લઈને હવે વિચારણા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ માટે એક સમિતિની રચના કરી છે, જે તેમને ગુજરાતમાં પાર્ટીની હાર પાછળના મુખ્ય કારણોનો રિપોર્ટ સોંપશે.

મલ્લિકાર્જુન ખડગે દ્વારા ત્રણ સભ્યોની ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે. આ સમિતિનું કામ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ખામીઓને લેખિતમાં સ્પીકરને સોંપવાનું રહેશે. આ રિપોર્ટ આગામી બે સપ્તાહમાં પાર્ટી અધ્યક્ષ ખડગેને સોંપવામાં આવશે.

પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા રચાયેલી સમિતિનું નેતૃત્વ મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી નીતિન રાઉત કરશે. બિહાર વિધાનસભાના સભ્ય શકીલ અહેમદ ખાન અને સાંસદ સપ્તગીરી ઉલ્કાને આ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. આ કમિટી બે અઠવાડિયામાં ખડગેને પોતાનો રિપોર્ટ સોંપશે.

ગયા મહિને થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં, કોંગ્રેસે તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું, 182 સભ્યોની વિધાનસભામાં માત્ર 17 બેઠકો જ જીતી હતી. અગાઉ 1990ની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સૌથી નીચું ગયું હતું. ત્યારે પાર્ટીને માત્ર 33 સીટો મળી હતી. 2002ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 50 બેઠકો મળી હતી, જ્યારે 2007માં તેને 59 બેઠકો મળી હતી. ગત ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. બીજી તરફ BJP એ 156 બેઠકો મેળવીને ઐતિહાસિક જીત નોંધાવી છે. જ્યારે ગત ચૂંટણીમાં કોંગ્રેસે BJPને જોરદાર ટક્કર આપી હતી. આ વખતે કોંગ્રેસના મોટા નેતાઓ પણ ગુજરાતથી દૂર રહ્યા, રાહુલ ગાંધી આ દરમિયાન ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હતા. જે બાદ વિપક્ષી દળોએ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં કોંગ્રેસે આત્મસમર્પણ કર્યું છે. જ્યારે, આમ આદમી પાર્ટી (AAP) પણ ચૂંટણીમાં મેદાનમાં ઉતરી હતી, જેણે પાંચ બેઠકો જીતી હતી.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.