કૂનો નેશનલ પાર્કમાં 2 મહિનામાં 6 વિદેશી ચિત્તાઓના મોત, શું છે કારણ?

સરકારનો પ્રોજેક્ટ ચિત્તા, ચિત્તાઓ માટે એક માઠું સપનું સાબિત થઈ રહ્યું છે. મધ્ય પ્રદેશના કૂનો નેશનલ નેશનલ પાર્કમાં ગુરુવારે (25 મેના રોજ) વધુ 2 ચિત્તાના બચ્ચાઓના મોત થઈ ગયા. આ અગાઉ વધુ એક ચિત્તાના બચ્ચાનું મોત કૂનો નેશનલ પાર્કમાં થયું હતું. વધુ એક બચ્ચાંની હાલત ગંભીર છે તેને દેખરેખમાં રાખવામાં આવ્યું છે. આ બધા બચ્ચા માદા ચિત્તા 'જ્વાળા'ના બચ્ચા છે. આ ત્રણેય બચ્ચાનું મોત મળીને છેલ્લા 2 મહિનામાં આફ્રિકન દેશોથી ભારત આવેલા કુલ 6 ચિત્તાઓના મોત થઈ ચૂક્યા છે. પહેલા 3 ચિત્તાઓના મોત અલગ-અલગ કારણોથી થઈ ચૂક્યા છે.

ચિત્તાના 3 બચ્ચાઓનું કારણ અત્યાર સુધી ગરમી બતાવવામાં આવી રહ્યું છે. કૂનો નેશનલ પાર્ક દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટ મુજબ, 23 મેના રોજ સીઝનનો સૌથી ગરમ દિવસ હતો. દિવસ ચડવા સાથે લૂ વધી અને તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું અને જ્વાળાના બચ્ચાઓની તબિયત ખરાબ થતી ગઈ. બીમાર ચાલી રહેલા બચ્ચાઓને ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તેમને ઓછામાં ઓછા એક મહિના સુધી ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

છેલ્લા 2 દિવસોની તુલનામાં તેમના સ્વાસ્થ્યમાં સુધાર થયો છે, પરંતુ પૂરી રીતે નહીં. બચ્ચાઓને માતા જ્વાળાથી પણ 1 મહિના સુધી દૂર રાખવામાં આવશે. એમ પણ કહેવામાં આવ્યું કે, જ્વાળાના બધા સંતાન ખૂબ નબળા જન્મ્યા હતા. બીમારી બાદ મૃત્યુ પામેલા બચ્ચા લગભગ 8 અઠવાડિયાના હતા. 8 અઠવાડિયાના બચ્ચા સામાન્ય રીતે જિજ્ઞાસુ હોય છે અને સતત માતા સાથે ચાલે છે. આ બચ્ચાઓએ લગભગ 8-10 દિવસ અગાઉ જ ચાલવાનું શરૂ કર્યું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, ચિત્તાઓના વિશેષજ્ઞો મુજબ આફ્રિકામાં ચિત્તા બચ્ચાઓનો જીવિત રહેવાનો દર સામાન્ય રીતે ખૂબ ઓછો છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી માંનક પ્રોટોકોલ અનુસાર જ કરવામાં આવી રહી છે. નામીબિયાથી ભારત આવેલા ચિત્તાઓમાંથી એક સાશાનું 27 માર્ચના રોજ કિડની સંબંધિત બીમારીના કારણે મોત થઈ ગયું હતું. માનવામાં આવે છે કે, સાશામાં નામીબિયામાં કેદ દરમિયાન આ બીમારીની ઝપેટમાં આવી ગઈ હતી અને કૂનો પહોંચ્યા બાદ જ તે અસ્વસ્થ હતી. દક્ષિણ  આફ્રિકન ચિત્તા ઉદયનું 13 એપ્રિલના રોજ મોત થઈ ગયું હતું. તેના  મોતનું કારણ કાર્ડિયોપાલ્મોનરી  ફેલિયર માનવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.