શા માટે અણ્ણા હજારે ગુસ્સે થયા અને નેતાને કેસ કરવાની ચેતવણી કેમ આપી?

સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને પૂર્વ મંત્રી જિતેન્દ્ર આવ્હાડના હુમલા પર વળતો પ્રહાર કર્યો છે. અણ્ણા હજારેએ જિતેન્દ્ર આવ્હાડ સામે માનહાનિનો કેસ દાખલ કરવાની ચેતવણી આપી છે. NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર અણ્ણા હજારેનો ફોટો પોસ્ટ કરતા લખ્યું કે, આ વ્યક્તિ દેશભરમાં ફર્યો હતો. ટોપી પહેરવાથી કોઈ ગાંધી નથી બની જતા. જિતેન્દ્ર આવ્હાડે અણ્ણા હજારે પર નિશાન સાધતા કહ્યું હતું કે, અણ્ણા હજારેના કારણે દેશને નુકસાન થયું છે.

જિતેન્દ્ર આવ્હાડની પોસ્ટ પર હવે સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ કહ્યું છે કે, જેણે પણ આવું કહ્યું છે. તેણે ભૂલ કરી છે. અણ્ણા હજારેએ કહ્યું કે, મારા કારણે દેશને નુકસાન થયું છે તો તેમના જ કારણે ઘણા લોકોને ફાયદો પણ થયો છે. અણ્ણા હજારેએ આ સાથે એ પણ કહ્યું છે કે, તેઓ કોર્ટમાં કેસ દાખલ કરશે. અણ્ણા હજારેએ કહ્યું કે, તેમના કારણે ઘણા કાયદા બન્યા છે. જેનો લોકોએ લાભ લીધો છે. હજારેએ એ પણ કબૂલ્યું છે કે, તેમના આંદોલાનથી ઘણા કામદારોને નુકસાન થયું છે. અણ્ણા હજારેએ કહ્યું કે, કેટલાક લોકોનું કામ જ એવું છે કે, મારા પર ખોટા આરોપો લગાવ્યા કરે. અણ્ણા હજારેએ કહ્યું કે, તેઓ વકીલની સલાહ લઈને કોર્ટમાં કેસ દાખલ કરશે.

અણ્ણા હજારેના નિવેદન પર NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે ફરી વળતો પ્રહાર કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, મારા ટ્વીટથી તે જાગી ગયા. તેણે પત્રકારોને કહ્યું કે, તેને કોર્ટમાં ખેંચવામાં આવી રહ્યો છે. ચાલો ઊંઘમાંથી જાગીએ અને જોઈએ કે તે કાલથી જાગે છે કે નહીં. અણ્ણા હજારે અને NCP વચ્ચેની ખેંચતાણ નવી નથી. NCP પ્રમુખ શરદ પવારને 2011માં એક યુવકે થપ્પડ મારી હતી. તે સમયે જ્યારે પત્રકારોએ અણ્ણા હજારેને પ્રશ્નો પૂછ્યા ત્યારે અણ્ણા હજારેએ આ ઘટનાને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ NCPના કાર્યકરો ગુસ્સે થયા હતા. UPA-2 સરકાર દરમિયાન અણ્ણા હજારેએ દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન કર્યું હતું. ત્યારે તેમણે માંગ કરી હતી કે, સરકાર જનલોકપાલ કાયદો લાવે, જેથી આ દેશમાંથી ભ્રષ્ટાચાર ખતમ થઈ શકે. અણ્ણાના આંદોલનમાંથી આમ આદમી પાર્ટી (AAP)નો ઉદય થયો.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.