વિદેશ મંત્રી જયશંકરે અમેરિકામાં રાજીવ ગાંધી અને મનમોહન સિંહને કેમ યાદ કર્યા?

વિદેશ મંત્રી S. જયશંકરે તેમના US પ્રવાસના અંતિમ દિવસે પૂર્વ ભારતીય PM રાજીવ ગાંધી અને મનમોહન સિંહને યાદ કર્યા હતા. S. જયશંકરે PM મોદીની મુલાકાતોની સરખામણી 1985માં રાજીવ ગાંધી અને 2005માં મનમોહન સિંહની US મુલાકાતો સાથે કરી છે. જયશંકર 22 થી 30 સપ્ટેમ્બર સુધી અમેરિકાના નવ દિવસના પ્રવાસે હતા.

પ્રવાસના અંતિમ દિવસે વોશિંગ્ટન DCમાં પત્રકારોને સંબોધતા ભારતીય વિદેશ મંત્રીએ કહ્યું કે, 'લોકો 1985માં રાજીવ ગાંધીની અમેરિકા મુલાકાતને યાદ કરે છે. તે સમયે હું પણ અમેરિકામાં જ હતો. 2005માં જ્યારે મનમોહન સિંહે મુલાકાત લીધી ત્યારે પણ હું અમેરિકામાં હાજર હતો. લોકોને PM નરેન્દ્ર મોદીની અમેરિકન મુલાકાત પણ યાદ છે. પરંતુ આ અલગ હતું. તેનું કાર્યક્ષેત્ર જ અલગ હતું. જો તમે મને પૂછશો કે શું બદલાયું છે? તો હું કહીશ કે, પહેલા અમે અમેરિકા સાથે ડીલ કર્યા કરતા હતા, પરંતુ હવે બંને દેશ સાથે મળીને કામ કરે છે.'

જયશંકરે વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે અને PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર તેમને વધુ આગળ લઈ જશે. વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, આ દ્વિપક્ષીય સંબંધો ચંદ્રયાનની જેમ ચંદ્ર અને તેનાથી આગળ પણ પહોંચશે.

જયશંકરે ભારતમાં તાજેતરમાં યોજાયેલી G20 બેઠકની સફળતા માટે અમેરિકાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, 'G20નું સફળ સંગઠન અમેરિકાના સહયોગ વિના શક્ય ન હોત.' જ્યારે કંઇક સારું થતું હોય છે, ત્યારે યજમાન દેશને હંમેશા તેની ક્રેડિટ મળે છે. આ યોગ્ય પણ છે, પરંતુ જો તમામ G20 સભ્ય દેશો આ કાર્યક્રમની સફળતા માટે કામ ન કરે તો તે શક્ય ન બન્યું હોત.'

અગાઉ, કેનેડા સાથે ચાલી રહેલા વિવાદ અંગે જયશંકરે કહ્યું હતું કે, આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ પ્રત્યે કેનેડાનું વલણ 'ઉદાર' છે. અમેરિકામાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓને અપાયેલી સ્વતંત્રતા પર ધ્યાન આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે, આ લોકો ખુલ્લેઆમ હિંસાની વકીલાત કરે છે. તેમના મતે કેનેડા અને ભારત વચ્ચેનો તણાવ આ મુદ્દાઓને કારણે ઉભો થયો છે.

જયશંકર તેમની મુલાકાત દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને પણ મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આમાં G20ની સિદ્ધિઓ અને નવા ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર, આગામી 2+2 બેઠક (રક્ષા મંત્રી અને વિદેશ મંત્રીની સંયુક્ત બેઠક) જેવા મુદ્દાઓ સામેલ હતા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.