‘અમારા કારણે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે’, મલ્લિકાર્જુન ખડગે આવું કેમ બોલ્યા?

કોંગ્રેસ સ્થાપના દિવસના મોકા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મુંબઇમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રની ભાજપ સરકાર પર હુમલો કર્યો હતો. તેની સાથે જ ભાજપ પર ધારાસભ્ય ચોરી કરીને સરકાર બનાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. સાથે જ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અમારા કારણે જ વડાપ્રધાન છે.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, દરેક જગ્યા પર વડાપ્રધાન મોદી કહેતા ફરે છે કે, સીત્તેર વર્ષોમાં કોંગ્રેસે શું કર્યું. પણ હું તેમને કહેવા માગીશ કે, કોંગ્રેસે સીત્તેર વર્ષોથી આ સુંદર લોકતંત્રને બચાવી રાખવાનું કામ કર્યું છે. જેના કારણે આજે વડાપ્રધાન હેલીકોપ્ટરમાં ફરે છે. તેમણે આગળ કહ્યું કે, જ્યારે લોકો ભૂખા મરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ હરીત ક્રાંતિ લઇને આવ્યું હતું.

તેની સાથે જ તેમણે ભાજપ પર ધારાસભ્યો ચોરી કરીને સરકાર બનાવવાનો આરોપ લગાવ્યો હતો. પોતાના ભાષણમાં ખડગેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં જેમને જનતાનું સમર્થન ન મળ્યું, તે સરકારમાં બેઠા છે. તેમણે આગળ કહ્યું કે, ભાજપના કોઇ એથિક્સ નથી. સરકાર બનાવવા માટે તેઓ કોઇપણ હદ સુધી જઇ શકે છે.

તેની સાથે જ તેમણે ભાજપ પર નિશાનો સાધતા કહ્યું કે, પાર્ટીની પાસે ઘણું મોટું વોશીંગ મશીન છે, જે મોટામાં મોટા ડાઘને પણ સાફ કરી શકે છે. જ્યારે લોકોને આ મશીનમાં નાખવામાં આવે છે તો તેઓ સાફ થઇની નીકળે છે. લોકતંત્રને બચાવવા માટે આપણે બધાએ મળીને લડવું પડશે. કેન્દ્રમાં આ જૂઠ્ઠા લોકોની સરકાર છે.

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે મુંબઇના સૌમ્યા ચૂનાભઠ્ઠી ગ્રાઉન્ડમાં એક જનસભાને સંબોધિત કરી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28મી ડિસેમ્બર, 1885ના રોજ બોમ્બેમાં થઇ હતી. તેના સંસ્થાપકોમાં એઓ હ્યૂમ, દાદા ભાઇ નૌરોજી અને દિનશા વાચા શામેલ હતા અને કોંગ્રેસ પાર્ટીની અધ્યક્ષતા હાઇકોર્ટના બેરિસ્ટર વ્યોમેશ ચંદ્ર બેનર્જીએ કરી હતી. 1947માં આઝાદી મળ્યા બાદ કોંગ્રેસ પાર્ટી ભારતની એક પ્રમુખ રાજકીય પાર્ટી બની ચૂકી હતી.

થોડા સમય પહેલા જ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી હતી પણ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી જીતી હતી અને હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવી હતી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.