અમેરિકાથી ભારત આવેલા સાંસદો રાહુલ ગાંધી સાથે ખાનગી મીટિંગ કેમ કરવા માગે છે?

ભારતના સ્વંતત્રતા દિવસ સમારોહમાં સામેલ થવા આવેલા અમેરિકાના પ્રતિનિધિ મંડળે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે ખાનગી બેઠક કરવામાં રસ દાખવ્યો છે. અમેરિકાથી ભારત આવેલા પ્રતિનિધિ મંડળમાં ભારતીય મૂળના બે સાંસદો રો ખન્ના અને ધાનેદાર પણ સામેલ છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રવીણ ચક્રવર્તીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે પાર્ટીએ આ માટે ઔપચારિક અને સત્તાવાર વિનંતી પણ કરી છે. પ્રવીણ ચક્રવર્તીએ કહ્યુ કે, છેલ્લા બે દિવસમાં અમેરિકી પ્રતિનિધિમંડળના કેટલાક સાંસદોએ રાહુલ ગાંધી સાથે ખાનગી બેઠક કરવા માટે અમારી સાથે વાત કરી છે. અમે તેમને કહ્યું છે કે રાહુલ ગાંધી વાયનાડથી પાછા ફર્યા પછી તેમની સાથે મુલાકાત થઈ શકે છે. તેનાથી તેઓ ખુશ થશે. જોકે, અમે તેમને ઔપચારિક અને સત્તાવાર રીતે રાહુલ ગાંધીને મળવા વિનંતી કરી છે.

ચક્રવર્તીએ કહ્યું કે વિદેશ મંત્રાલય તેની મંજૂરી આપે છે કે નહીં, એ વિદેશ મંત્રાલય અને અમેરિકી પ્રતિનિધિ મંડળ વચ્ચેની વાત છે.ચક્રવર્તીએ આગળ કહ્યુ કે, જો કે, મને નથી લાગતું કે વિદેશ મંત્રાલયને આનાથી કોઇ ચિંતા થવી જોઇએ. ભારતની મુલાકાતે આવેલું એક પ્રતિનિધિ મંડળ જો, વિપક્ષ નેતાને મળવા માંગતું હોય તો તો એમાં વિદેશ મંત્રાલયને શું કામ ચિંતા થાય.

ભારતીય મૂળના અમેરિકા સાંસદ રો ખન્નાએ આ પહેલાં કહ્યું હતું કે,અમેરિકી પ્રતિનિધિ મંડળને કેટલાંક લોકોને મળવા માંગે છે. એના માટે ભારતના વિદેશ મંત્રાલયની મંજૂરી મેળવવી જરૂરી બનશે.14 ઓગસ્ટે રો ખન્નાએ કહ્યું હતું કે,હું અને આખું પ્રતિનિધિમંડળ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલયના મહેમાન છીએ. કોઈને મળવાની વ્યવસ્થા તેઓ     કરશે. મને ખબર છે કે કેટલાક લોકો અમેરિકન પ્રતિનિધિમંડળને મળવા માગે છે. મેં આ વિનંતીઓ વિદેશ મંત્રાલયને પણ જણાવી છે તેની પર હવે મંત્રાલય નિર્ણય લેશે. ખન્નાએ કહ્યુ કે,ભારતમાં અમારું ખુબ સારી રીતે ધ્યાન રાખવામાં આવ્યું હતું, તેમણે ઘણી બેઠકો પણ કરી છે. હું તેનું સન્માન કરું છું.

ખન્નાએ આગળ કહ્યું કે ભારતમાં થનારી બધી બેઠકો અમેરિકી દુતાવાસ અને વિદેશ મંત્રાલયના માધ્યથી થઇ રહી છે.તેનું કારણ એવું છે કે તેમણે જ અમેરિકાના પ્રતિનિધિ મંડળને ભારત બોલાવ્યું છે.રાહુલ ગાંધીની ઓફિસે સ્પષ્ટતા કરી છે કે તેમણે અમેરિકી પ્રતિનિધિ મંડળને મળવા માટે કોઇ અનુરોધ કર્યો નથી.

ભારતની મુલાકાતમા અમેરિકી પ્રતિનિધિ મંડળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત અનેક મંત્રીઓને મળશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.