અમેરિકાથી ભારત આવેલા સાંસદો રાહુલ ગાંધી સાથે ખાનગી મીટિંગ કેમ કરવા માગે છે?

ભારતના સ્વંતત્રતા દિવસ સમારોહમાં સામેલ થવા આવેલા અમેરિકાના પ્રતિનિધિ મંડળે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે ખાનગી બેઠક કરવામાં રસ દાખવ્યો છે. અમેરિકાથી ભારત આવેલા પ્રતિનિધિ મંડળમાં ભારતીય મૂળના બે સાંસદો રો ખન્ના અને ધાનેદાર પણ સામેલ છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રવીણ ચક્રવર્તીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે પાર્ટીએ આ માટે ઔપચારિક અને સત્તાવાર વિનંતી પણ કરી છે. પ્રવીણ ચક્રવર્તીએ કહ્યુ કે, છેલ્લા બે દિવસમાં અમેરિકી પ્રતિનિધિમંડળના કેટલાક સાંસદોએ રાહુલ ગાંધી સાથે ખાનગી બેઠક કરવા માટે અમારી સાથે વાત કરી છે. અમે તેમને કહ્યું છે કે રાહુલ ગાંધી વાયનાડથી પાછા ફર્યા પછી તેમની સાથે મુલાકાત થઈ શકે છે. તેનાથી તેઓ ખુશ થશે. જોકે, અમે તેમને ઔપચારિક અને સત્તાવાર રીતે રાહુલ ગાંધીને મળવા વિનંતી કરી છે.

ચક્રવર્તીએ કહ્યું કે વિદેશ મંત્રાલય તેની મંજૂરી આપે છે કે નહીં, એ વિદેશ મંત્રાલય અને અમેરિકી પ્રતિનિધિ મંડળ વચ્ચેની વાત છે.ચક્રવર્તીએ આગળ કહ્યુ કે, જો કે, મને નથી લાગતું કે વિદેશ મંત્રાલયને આનાથી કોઇ ચિંતા થવી જોઇએ. ભારતની મુલાકાતે આવેલું એક પ્રતિનિધિ મંડળ જો, વિપક્ષ નેતાને મળવા માંગતું હોય તો તો એમાં વિદેશ મંત્રાલયને શું કામ ચિંતા થાય.

ભારતીય મૂળના અમેરિકા સાંસદ રો ખન્નાએ આ પહેલાં કહ્યું હતું કે,અમેરિકી પ્રતિનિધિ મંડળને કેટલાંક લોકોને મળવા માંગે છે. એના માટે ભારતના વિદેશ મંત્રાલયની મંજૂરી મેળવવી જરૂરી બનશે.14 ઓગસ્ટે રો ખન્નાએ કહ્યું હતું કે,હું અને આખું પ્રતિનિધિમંડળ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલયના મહેમાન છીએ. કોઈને મળવાની વ્યવસ્થા તેઓ     કરશે. મને ખબર છે કે કેટલાક લોકો અમેરિકન પ્રતિનિધિમંડળને મળવા માગે છે. મેં આ વિનંતીઓ વિદેશ મંત્રાલયને પણ જણાવી છે તેની પર હવે મંત્રાલય નિર્ણય લેશે. ખન્નાએ કહ્યુ કે,ભારતમાં અમારું ખુબ સારી રીતે ધ્યાન રાખવામાં આવ્યું હતું, તેમણે ઘણી બેઠકો પણ કરી છે. હું તેનું સન્માન કરું છું.

ખન્નાએ આગળ કહ્યું કે ભારતમાં થનારી બધી બેઠકો અમેરિકી દુતાવાસ અને વિદેશ મંત્રાલયના માધ્યથી થઇ રહી છે.તેનું કારણ એવું છે કે તેમણે જ અમેરિકાના પ્રતિનિધિ મંડળને ભારત બોલાવ્યું છે.રાહુલ ગાંધીની ઓફિસે સ્પષ્ટતા કરી છે કે તેમણે અમેરિકી પ્રતિનિધિ મંડળને મળવા માટે કોઇ અનુરોધ કર્યો નથી.

ભારતની મુલાકાતમા અમેરિકી પ્રતિનિધિ મંડળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત અનેક મંત્રીઓને મળશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.