હિમાલય પીગળવાથી ભારતે પણ કેમ ડરવું જોઈએ? પાકિસ્તાનમાં આવેલા પૂરને જુઓ

પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પછી પૂરના કારણે સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે. અત્યાર સુધીમાં 1100થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, લાખો લોકો વિસ્થાપિત થયા છે, સરકારને કઈં નથી ખબર પડી રહી. દુનિયાભરમાંથી મદદની અપીલ કરવામાં આવી રહી છે. પૂર કેટલું જોખમી છે તેનો અંદાજ તમે આના પરથી જ લગાવી શકો છો કે, પાકિસ્તાનનો એક તૃતિયાંશ ભાગ પાણીમાં ડૂબી ગયો છે. પૂર માટે બદલાતું હવામાન તો જવાબદાર છે જ, સાથે હિમાલયમાં પીગળતા ગ્લેશિયરોએ કટોકટીને વધુ ગંભીર કરી દીધી છે. ગ્લેશિયરોનું પીગળવું ભારત માટે પણ મોટું જોખમ બની શકે છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ઈન્દોરના સંશોધકોએ આ વર્ષની શરૂઆતમાં તેજ ગરમી અને લૂને કારણે હિમાલયના ગ્લેશિયરનું ભારે પીગળવાનું નોંધ્યું છે. સંશોધકો 15 વર્ષથી પણ વધુ સમયથી હિમાલયના બરફના આવરણ, બરફના નિર્માણ અને મોસમી હિમવર્ષા પર નજર રાખી રહ્યા છે.

ઝડપથી પીગળી રહ્યા છે ગ્લેશિયર

IIT ઇન્દોરના એક ગ્લેશિયોલોજિસ્ટ મોહમ્મદ ફારૂક આઝમે બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે, 'અમે આના પર (ગ્લેશિયર) જૂનમાં નજર રાખવાનું શરૂ કર્યું હતું, અને ઓગસ્ટ મહિના સુધીમાં અમે તેના અવશેષો પણ નહીં શોધી શક્યા હતા. ઉનાળાની શરૂઆતમાં તેજ ગરમીનો અહેસાસ કર્યો હતો, માર્ચ અને એપ્રિલ મહિનામાં જ તાપમાને 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. પરિણામ એ આવ્યું કે, ગ્લેશિયર પીગળી ગયા. અમારી ટીમ ગત અઠવાડિયે એક ગ્લેશિયર પર હતી અને અમે હિમાલયમાં બરફોને રેકોર્ડ તોડ પીગળતા જોયા છે.'

ગ્લેશિયર ઓગળવાને કારણે નદીઓમાં આવ્યું પૂર

ગ્લેશિયરોના પીગળવાની સાથે-સાથે વધુ વરસાદે પાકિસ્તાનની નદીઓમાં પૂરની સ્થિતિ ઊભી કરી દીધી. ગ્લેશિયર પીગળ્યા પછી હિમાલયમાંથી નીકળેલા પાણીએ નદીઓના વહેણને વધુ તેજ કરી દીધું. તેને હિમનદી તળાવ ફાટી નીકળવાનું પૂર કહેવામાં આવે છે. હિમાલયમાં ગ્લેશિયરોનું ઝડપથી પીગળવું કોઈ એક ઘટના નથી. આ પ્રકારની જ ઘટનાનો યુરોપના આલ્પ્સમાં પણ જોવા મળી છે. હિમાલય વિશે ચિંતાજનક વાત એ છે કે, તે ઉત્તરી અને દક્ષિણી ધ્રુવોની બહાર જામેલા મીઠા પાણીનો સૌથી મોટો ભંડાર રાખે છે.

પીવાના પાણીની પણ સર્જાઈ શકે છે અછત

2021મા IIT ઇન્દોર દ્વારા હાથ ધરવામાં આવેલા એક અગાઉના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, ગ્લેશિયરોનું પીગળવું અને બરફ એ વિસ્તારમાં મહત્વપૂર્ણ ઘટકો છે અને જો તે એક સદી સુધી ચાલુ રહેશે, તો એક દિવસ પાણીનો પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ જશે. દુનિયાભરના ગ્લેશિયર વિસ્તારોમાં એક અબજથી વધુ લોકો બરફના પીગળ્યા પછી નિકળતા પાણી પર જ નિર્ભર રહે છે. એવામાં તેનું ઝડપથી પીગળવું ભવિષ્યમાં પાણીની અછતનું કારણ પણ બની શકે છે.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.