કેજરીવાલે PM મોદીને યાદ અપાવી 10 વર્ષ જૂની ટ્વીટ, પૂછ્યું- વટહુકમ કેમ લાવ્યા સર?

આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારના વટહુકમ લાવવાના નિર્ણય પર પ્રહાર કર્યો છે. અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 10 વર્ષ જૂની ટ્વીટ શેર કરતા પૂછ્યું કે, તેઓ વટહુકમ શા માટે લઈને આવ્યા? અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ટ્વીટ શેર કરી છે તેમાં લખ્યું છે કે, ‘જ્યારે સંસદમાં બેઠક ચાલી રહી છે. સંસદને ભરોસામાં કેમ ન લેવામાં આવી અને એક સારું બિલ કેમ ન આપી શકાય? વટહુકમ કેમ લાવવામાં આવ્યો?’

કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દિલ્હીના અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે શુક્રવારે વટહુકમ લઈને આવી. આ વટહુકમ દ્વારા કેન્દ્ર સરકારે ટ્રાન્સફર અને પોસ્ટિંગના અધિકારો ઉપરાજ્યપાલને આપી દીધા છે. આ વટહુકમ દ્વારા કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય રાજધાની સિવિલ સેવા ઓથોરિટીની રચના કરશે, જે દિલ્હીમાં ટ્રાન્સફર, પોસ્ટિંગ અને વિજિલેન્સનું કામ કરશે. તેના 3 સભ્ય હશે, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી સિવાય મુખ્ય સચિવ અને ગૃહ સચિવ હશે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ સમિતિ અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગનો નિર્ણય બહુમતના આધાર પર કરશે, પરંતુ અંતિમ નિર્ણય ઉપરાજ્યપાલનો હશે. દિલ્હી સરકારનું કહેવું છે કે, કેન્દ્ર સરકારનો વટહુકમ સીધી રીતે સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં ખૂબ જ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, ચૂંટાયેલી સરકાર સુપ્રીમ છે. ચૂંટાયેલી સરકાર પાસે બધી શક્તિઓ છે. સુપ્રીમ કોર્ટના આદેશથી ડરીને કેન્દ્ર સરકાર આ વટહુકમ લાવી છે. કેજરીવાલ સરકારનો પાવર ઓછો કરવા માટે આ વટહુકમ લાવવામાં આવ્યો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, કેન્દ્ર સરકારનો નવો વટહુકમ બદલાની ભાવનાથી ઓતપ્રોત છે અને પૂરી રીતે સંવૈધાનિક સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. સંવૈધાનિક સિદ્ધાંત એ છે કે નોકરશાહ ચૂંટયેલી સરકાર પ્રત્યે જવાબદાર હોય છે, પરંતુ તમે નોકરશાહોને અન્ય નોકરશાહોના પ્રભારી બનાવી દીધા છે. તમે કેવી રીતે વટહુકમ દ્વારા સંવિધાનનું ઉલ્લંઘન કરી શકો છો. તેને પડકાર આપવામાં આવશે અને તેને સંસદ દ્વારા પાસ થવા દેવામાં નહીં આવે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.