સિસોદિયાના વકીલને સુપ્રીમ કોર્ટે શા માટે કહ્યું- ન તો અમારી પાસે સમય છે, ન તો...

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં રાજ્યના પૂર્વ DyCM મનીષ સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ S.V.N. (સારસા વેંકટનારાયણ ભાટી)ની બેંચે મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી 4 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે. સિસોદિયાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, તેમને નિયમિત જામીન પર દલીલ કરવા માટે 3 થી 4 કલાકનો સમય જોઈએ છે.

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, 'અમારી (મનીષ સિસોદિયા) વિરુદ્ધ ઘણા સમાચાર પ્રકાશિત થઈ રહ્યા છે. એક તરફ બીજી કોર્ટમાં મીડિયાને લઈને ગાઈડલાઈન બનાવવાની વાત ચાલી રહી છે. અમે કોર્ટમાં યાદી રજૂ કરીશું.' કોર્ટે મનીષ સિસોદિયાના વકીલ સિંઘવીને કહ્યું કે, અમારી પાસે સમય નથી, અમે આ સમાચાર વાંચતા નથી... અને અમે તેમનાથી પ્રભાવિત નથી. અહીં તમને જણાવી દઈએ કે, મનીષ સિસોદિયાએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં CBI અને ED બંને કેસમાં નિયમિત જામીનની માંગ કરી છે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે આ કેસમાં CBI અને EDને નોટિસ પાઠવી તેમનો જવાબ માંગ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ DyCM મનીષ સિસોદિયાની દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેણે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કારણ કે દિલ્હી હાઈકોર્ટે તેને રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. મનીષ સિસોદિયાએ પત્નીની બિમારીનો ઉલ્લેખ કરીને કોર્ટ પાસે જામીન માંગ્યા છે.

દિલ્હી દારૂ કૌભાંડની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સીઓ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) બંને દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. હકીકતમાં આ વર્ષે 30 મેના રોજ દિલ્હી હાઈકોર્ટે CBI કેસમાં મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે ટીપ્પણી કરી હતી કે, દિલ્હીના ભૂતપૂર્વ DyCM અને એક્સાઈઝ મિનિસ્ટર હોવાના કારણે તે 'હાઈ-પ્રોફાઈલ' આરોપી છે અને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી તેમની જામીન અરજીમાં સિસોદિયાએ દલીલ કરી હતી કે, કોઈએ તેમને લાંચ આપી હોવાનો કોઈ દસ્તાવેજી પુરાવો નથી, અને ત્યાં સુધી કે એવો કોઈ આરોપ પણ નથી.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.