જોશી મઠમાં જમીન કેમ ધસી રહી છે, ગુજરાતના સાંસદે બતાવ્યું આ કારણ

 જોશી મઠમાં જમીન કેમ ધસી રહી છે તેની પર નિષ્ણાતો  મનોમંથન કરી રહ્યા છે, એવા સમયે ભાજપના ગુજરાતના સાંસદે કારણ બતાવ્યું છે.

ઉત્તરાખંડના જોશીમઠમાં ધરતી ફાટ્યા અને ધસી પડ્યા બાદ જમ્મુ-કાશ્મીરના ડોડામાં પણ જમીન ફાટવાની આવી જ ઘટના સામે આવી છે. જોશીમઠમાં જમીન કેમ ફાટી રહી છે અને ધસી રહી છે તેના કારણોનો અભ્યાસ ચાલી રહ્યો છે. તો બીજી તરફ ગુજરાતના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ માટે વસ્તીને જવાબદાર ગણાવી છે.

ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન કેમ ધસી રહી છે? નિષ્ણાતો આ માટે નબળા આયોજનને જવાબદાર માની રહ્યા છે ત્યારે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ અલગ જ કારણ આપ્યું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં જણાવ્યું હતું કે, જોશીમઠમાં વધતી વસ્તીના કારણે જમીન ધસી રહી છે. વસાવાએ જણાવ્યું હતું કે જોશીમઠ સહિતની તમામ કુદરતી આફતો માટે બેરોજગારી, પ્રદુષણ અને વ્યભિચાર સરકારી તંત્ર નહીં પરંતુ વધતી જતી વસ્તી જવાબદાર છે. વસાવાએ જણાવ્યું હતું કે દેશમાં વસ્તી વિસ્ફોટના કારણે સામાજિક, આર્થિક અને પર્યાવરણીય અસંતુલન વધી રહ્યું છે. જોશીમઠ સિંકિંગમાં જમીન ફાટ્યા બાદ જમ્મુ-કાશ્મીરના ડોડામાં જમીન ફાટી ગઈ છે.

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં બોલતા કહ્યુ કે, જોશી મઠની ઘટના માટે વસ્તી વિસ્ફોટ જ માત્ર જવાબદાર છે. વસાવાએ કહ્યું કે, વસ્તી નિયંત્રણ માટે માત્ર જાગૃતિ હોવી જ પુરતી નથી. એના માટે કાયદો હોવો જરૂરી છે.

વસાવાએ લોકસભામાં સરકારને વિનંતી કરી કે સરકાર વસ્તી નિયંત્રણ તાત્કાલિક પગલાં લે, કારણકે વસ્તી વિસ્ફોટ દેશને સામાજિક અને આર્થિક અસંતુલનની સાથે કુદરતી રીતે પણ અસંતુલિત બનાવી રહી છે.

ગુજરાતના સાસંદ મનસુખ વસાવા 65 વર્ષની વયના છે અને આદિવાસી સમાજમાંથી આવે છે. વસાવા ભરૂચથી લોકસભાના સાસંદ છે. વસાવા વર્ષ 2019માં ચોથી વખત મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ચૂંટાઇને આવ્યા હતા. નર્મદામાં જન્મેલા મનસુખ વસાવાને એક પુત્ર અને બે પુત્રી છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં બે વર્ષથી વધુ સમય માટે આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી હતા. વસાવાએ ગુજરાત વિદ્યાપીઠમાંથી સામાજિક કાર્યમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમણે બી.એ.ની ડીગ્રી મેળવી હતી. તેઓ એક વખત ધારાસભ્ય પણ બન્યા હતા.<

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.