પત્નીની છેલ્લી કીમોથેરાપી,ખાવાનું ખવડાવી મનાલી જવાની વાત કરી સિદ્ધુએ શેર...

પૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુએ પત્ની ડૉ.નવજોત કૌર સાથે બે ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. નવજોત સિંહ સિદ્ધુ તેમની પત્ની નવજોત કૌરની પાંચમી કીમોથેરાપી કરાવવા માટે યમુનાનગરની વરયામ સિંહ હોસ્પિટલમાં આવ્યા છે. ત્યારબાદ તેણે હોસ્પિટલના પલંગ પર પડેલી પત્નીને પોતાના હાથે ખાવાનું ખવડાવતો ફોટો ટ્વીટ કર્યો. સિદ્ધુએ પોતાની સ્ટાઈલમાં ટ્રીટમેન્ટ સમજાવતા લખ્યું.

સિદ્ધુએ ટ્વીટ કરીને લખ્યું છે કે, 'ઘા તો રુઝાઈ ગયા છે, પરંતુ આ મુશ્કેલ કસોટીના માનસિક ઘા હજુ પણ રહેશે. પાંચમો કીમો ચાલુ છે. થોડો સમય સારી નસ શોધવામાં વ્યર્થ ગયો અને પછી ડૉ.રુપિન્દરની નિપુણતા કામમાં આવી. તેણે તેનો હાથ હલાવવાની ના પાડી, તેથી તેને ચમચીથી ખાવાનું ખવડાવ્યું. છેલ્લા કીમો પછી મોટા પાયે વેસ્ક્યુલર પ્રતિક્રિયાઓને ધ્યાનમાં લેતા, નસોમાં ફેલાયેલી ગરમી અને અતિશય ભેજને કારણે તેને માનસિક શાંતિ મળે તે માટે મનાલી લઈ જવાનો સમય આવી ગયો છે.'

સિદ્ધુએ ગયા મહિને ચોથી કિમોથેરાપી પછી પત્ની નવજોત કૌરનો ફોટો પણ શેર કર્યો હતો. જેમાં તેણે લખ્યું છે કે, નખ ભૂરા થઇ ગયા છે, માથાના વાળ ઉખડી ગયા છે, ત્વચા પર થોડી ફોલ્લીઓ ઉપસી આવી છે, પણ મનોબળ આસમાનની ઊંચાઈએ છે. તે જે પીડામાંથી પસાર થઈ રહી છે તેના કરતાં જીવવાનો અને રોગને હરાવવાનો તેનો નિર્ધાર વધારે છે. તેની આ પીડાને ઓછી કરવા માટે હું તેને બનારસના પ્રવાસે લઈ જઈશ.

વરયામ સિંહ હોસ્પિટલના ડૉ. રૂપેન્દ્ર સિંહે જણાવ્યું કે, નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌરની ત્રણ મહિના પહેલા કેન્સરની સર્જરી થઈ હતી અને આજે તે પાંચમી કીમોથેરાપી માટે અહીં આવી હતી. ડૉ. રૂપેન્દ્ર સિંહે કહ્યું કે, તેમની હોસ્પિટલ ઉત્તર ભારતની કેટલીક એવી હોસ્પિટલોમાંની એક છે જ્યાં નિષ્ણાતો અદ્યતન ટેકનોલોજી અને નવીનતમ મશીનો વડે કેન્સર જેવા અસાધ્ય રોગોની સારવાર કરે છે. હાલમાં નવજોત કૌર સારી રીતે પ્રતિસાદ આપી રહી છે અને ડોક્ટરો તેમને શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે.

નવજોત કૌરને કેન્સર હોવાનું નિદાન થયા બાદ તેમણે તેમના વાળ દાનમાં આપી દીધા હતા. તેણે એપ્રિલ મહિનામાં પોતાનો એક ફોટો ટ્વીટ કરીને આની જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે, ગટરમાં વસ્તુઓ ફેંકવાનો અર્થ અન્ય લોકો માટે ઘણું છે. મેં હમણાં જ મારા માટે કુદરતી વાળની વિગની કિંમત વિશે પૂછ્યું, જેની મને બીજી કીમોથેરાપી પછી જરૂર પડશે, તેની કિંમત લગભગ 50 થી 70 હજાર રૂપિયા છે. તેથી મેં કેન્સરના દર્દી માટે મારા વાળ દાન કરવાનું નક્કી કર્યું.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.