રામ મંદિર પર બોમ્બ ફેંકશે,મુસ્લિમોને દોષી ઠેરવશે;કોંગ્રેસ MLAના નિવેદન પર હોબાળો

કોંગ્રેસના ધારાસભ્ય B. R. પાટીલના એક નિવેદનથી કર્ણાટકમાં ખળભળાટ મચી ગયો છે. BJPની ટીકા કરતા તેમણે કહ્યું કે, આ લોકો રામ મંદિર પર બોમ્બ ફેંકાવી શકે છે અને તેના માટે મુસ્લિમ સમુદાયના લોકોને દોષી ઠેરવી શકે છે. તેના દ્વારા તેઓ હિન્દુ મતોને એક કરીને લોકસભાની ચૂંટણી જીતવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસના ધારાસભ્યના આ નિવેદનનો વીડિયો કર્ણાટક BJPએ તેના X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર શેર કર્યો છે. BJPએ આ મામલે કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે માફી માંગવાની માંગ કરી છે.

એટલું જ નહીં, BJP પાર્ટીએ કહ્યું કે, કોંગ્રેસ રામ મંદિરને નુકસાન પહોંચાડીને હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષ ઉભો કરવા માંગે છે. ત્યાર પછી સરકાર પર દોષનો ટોપલો ઢોળવાની તૈયારી છે. BJP દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં કોંગ્રેસના ધારાસભ્ય કન્નડમાં બોલતા સાંભળી શકાય છે. તેઓ કહે છે, 'BJP આગામી લોકસભા ચૂંટણીમાં PM નરેન્દ્ર મોદીની જીત સુનિશ્ચિત કરવા માટે રામ મંદિર પર બોમ્બ ફેંકાવી શકે છે અને પછી તેનું દોષારોપણ મુસ્લિમો પર કરીને હિંદુઓને એક કરવાનો પ્રયાસ કરશે.' B.R. પાટીલનું આ નિવેદન ક્યારેનું છે તે સ્પષ્ટ નથી. પરંતુ BJPએ ચોક્કસપણે આ મુદ્દે તેના પર હુમલો કર્યો છે અને તેને હિન્દુ આસ્થાનું અપમાન ગણાવ્યું છે.

BJPએ સોશિયલ મીડિયા પર લખ્યું, 'કોંગ્રેસના નેતાઓ, જેઓ વારંવાર હિંદુઓની આસ્થા પર સવાલ ઉઠાવે છે, હવે તેમની ખરાબ નજર રામ મંદિર પર પણ છે. આ લોકો રામ મંદિરને નુકસાન કરીને હિંદુ-મુસ્લિમ વચ્ચે લડાઈ ઉભી કરવા માંગે છે અને દોષનો ટોપલો સરકાર પર નાખવાની યોજના બનાવી રહ્યા છે. આ જ કારણ છે કે, પાર્ટીના એક મંત્રી આવી વાત કરી રહ્યા છે.' અહીં તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી કર્ણાટક પણ એક મહત્વપૂર્ણ રાજ્ય છે.

અહીં લોકસભાની કુલ 28 બેઠકો છે, જેમાંથી 2019માં BJPએ 25 બેઠકો જીતી હતી. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો મોટો વિજય થયો હતો. તેથી, તે લોકસભાની ચૂંટણીમાં પણ પોતાના માટે મજબૂત સંભાવનાઓ જોઈ રહી છે. જ્યારે BJPએ જનતા દળ સેક્યુલર સાથે ગઠબંધન કર્યું છે અને તેને 4 બેઠકો આપવા માટે પણ સહમતિ દર્શાવી છે. એવું માનવામાં આવે છે કે JDS અને BJP સાથે મળીને વિરોધી પક્ષો માટે એક સખત પડકાર રજૂ કરશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.