શું 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની ડેડલાઇન વધશે? સરકારે કહી આ વાત

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000 રૂપિયાની નોટો બદલવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીની ડેડલાઇન નક્કી કરી છે. જો તમારી પાસે અત્યારે પણ 2000 રૂપિયાની નોટ છે તો તેને ડેડલાઇન અગાઉ જમા કરાવી દો. કેમ કે સરકાર 2000 રૂપિયાની નોટોને જમા કરવાની ડેડલાઇન આગળ વધારવાની નથી. સંસદમાં કેટલાક સભ્યોએ સરકારને પૂછ્યું કે, શું 2000 રૂપિયાની નોટો જમા કરાવવાની ડેડલાઇન વધારવામાં આવશે? તેના પર નાણાં મંત્રાલયે જવાબ આપ્યો હતો.

રિઝર્વ બેન્કે 19 મેના રોજ 2000 રૂપિયાની નોટોને પરત લેવાની જાહેરાત કરી હતી. ડેડલાઇન આગળ વધારવા પર સ્થિતિને સ્પષ્ટ કરતા નાણા મંત્રાલયે કહ્યું કે, 2000 રૂપિયાની નોટોને જમા કરાવવાની અંતિમ તારીખ આગળ વધારવામાં નહીં આવે, એટલે કે જેમની પાસે અત્યારે પણ 2000 રૂપિયાની નોટો છે, તેમણે 30 સપ્ટેમ્બર અગાઉ જમા કરાવવી પડશે. સંસદના ચોમાસું સત્રમાં સુપ્રિયા સુલે સહિત કેટલાક સાંસદોએ આ બાબતે પૂછ્યું હતું. સાંસદોના સવાલોનો જવાબ આપતા નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ કરી દીધું હતું કે ડેડલાઇનમાં કોઈ પણ બદલાવ કરવામાં નહીં આવે.

તેમણે કહ્યું કે, હાલમાં સરકાર એવું કંઈ વિચારી રહી નથી. જે 2000 રૂપિયાની નોટ પાછી બેંકમાં જમા કરાવવામાં આવી રહી છે, તેના બદલામાં આપવા માટે બીજી કરન્સીનો સ્ટોક ઉપલબ્ધ છે. રિઝર્વ બેન્કે મેમાં સૌથી મોટી કરન્સી 2000 રૂપિયાની નોટ પર મોટો નિર્ણય લીધો હતો. જો કે, રિઝર્વ બેન્કે કહ્યું હતું કે, 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધી કાયદેસર રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટોને ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ પોલિસી હેઠળ રિઝર્વ બેંક ધીરે ધીરે 2000 રૂપિયાની નોટ બજારથી પાછી મંગાવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંદીની જાહેરાત કરી હતી. ત્યારે 500 અને 1000 રૂપિયાની નોટ ચલણથી બહાર કરી દેવામાં આવી હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ખૂબ ઉથલ-પાથલ મચી ગઈ હતી, પરંતુ પછી નવી નોટ કરન્સી માર્કેટનો હિસ્સો બની. સરકારે 200, 500 અને 2000 રૂપિયાની નોટ લોન્ચ કરી હતી. નવેમ્બર 2016માં નોટબંધી બાદ આગામી ઘણા મહિનાઓ સુધી દેશમાં ખૂબ અફરાતફરીનો માહોલ બન્યો રહ્યો. લોકોને જૂની નોટ જમા કરાવવા અને નવી નોટ હાંસલ કરવા માટે બેંકોની લાંબી લાઈનોમાં લાગવું પડ્યું હતું.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.