શિવરંજનીએ જણાવ્યું-ધીરેન્દ્ર શાસ્ત્રીને કેમ કહે છે પ્રાણનાથ? બાબા બાગેશ્વર...

પ્રસિદ્ધ કથાવાંચક અને હિન્દુ રાષ્ટ્રની માગ કરનારા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના નિવેદનોના કારણે મોટા ભાગે ચર્ચામાં રહે છે. બાબા બાગેશ્વર લગ્ન ક્યારે અને કોની સાથે કરશે? આ સવાલ તેમના ભક્તોના મનમાં હવે ઉઠવા લાગ્યા છે. એવામાં એક યુવતીએ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. યુવતીની ઓળખ શિવરંજની તિવારીના રૂપમાં થઈ છે. બાબાને મળવા પહોંચેલી શિવરંજનીની તબિયત અચાનક બગડી ગઈ છે. શિવરંજનીએ એ પણ જણાવ્યું કે, તે ધીરેન્દ્ર શાસ્ત્રીને પ્રાણનાથ કેમ કહે છે.

શિવરંજની તિવારી મેડિકલની વિદ્યાર્થિની છે. તે MBBCનો અભ્યાસ કરી રહી છે. શિવરંજની તિવારી મધ્ય પ્રદેશના સિવની જિલ્લાની રહેવાસી છે. તેની ઈચ્છા બાબા બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવાની છે. ગત દિવસોમાં ગંગોત્રીથી બાબા બાગેશ્વર ધામ છતરપુર માટે શિવરંજનીએ એક કળશ યાત્રા કાઢી હતી. પોતાના પ્રાણનાથને મળવા શિવરંજની પગપાળા જ છતરપુર માટે નીકળી પડી. કાલે એટલે કે 14 જૂનના રોજ છતરપુર પહોંચેલી શિવરંજનીની અચાનક તબિયત બગડી ગઈ.

નબળાઈ એટલી હદ સુધી વધી ગઈ કે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેનું સ્વાસ્થ્ય અત્યારે સુધારી રહ્યું છે. ડૉક્ટર બનનારી શિવરંજનીએ જ્યારે કળશ યાત્રાની શરૂઆત કરી હતી, ત્યારે તેણે ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાનો પ્રાણનાથ કહ્યો હતો. છતરપુર પગપાળા પહોંચ્યા બાદ શિવરંજનીએ જણાવ્યું કે, તે બાબા બાગેશ્વરને પ્રાણનાથ કેમ કહે છે. તેણે કહ્યું કે, બાબા બાગેશ્વર બધાના પ્રાણો સાથે છે. તે બધાના મનના અંદરની વાત જાણે છે. આ જ કારણે હું તેમને પોતાના પ્રાણનાથ કહું છું.

ઉલ્લેખનીય છે કે, 20 વર્ષીય શિવરંજની બાબા બાગેશ્વર સાથે લગ્ન કરવા માગે છે. શિવરંજનીએ જણાવ્યું કે, તે ખૂબ પહેલાથી ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા સાંભળે છે. પગપાળા કરીને શિવરંજની છતરપુર પહોંચી ગઈ છે, લગભગ 1150 કિલોમીટરની દૂરી નક્કી કરતા આ ભીષણ ગરમીમાં શિવરંજની પોતાના પિતા અને ભાઈ સાથે બુંદેલખંડના મોહબા પહોંચી છે. જ્યાં ભક્તોએ ઠેર ઠેર સ્વાગત કર્યું. મહિલાઓએ મંગળ ગીતો ગત તેની આરતી ઉતરી, પરંતુ અત્યાર સુધી તેની બાબા બાગેશ્વર સાથે મુલાકાત થઈ શકી નથી. પગપાળા કરીને શિવરંજની છતરપુર પહોંચી ગઈ છે મુલાકાત અગાઉ જ તેની તબિયત ખરાબ થઈ ગઈ.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.