શું દક્ષિણમાં 'કમળ' સુકાઈ જશે? આંતરિક સરવેથી ઉત્સાહિત કોંગ્રેસ, 'સ્વામી'ને આશા

કર્ણાટક વિધાનસભામાં આવતા વર્ષે એપ્રિલ 2023માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તારૂઢ BJP અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસે કમર કસી લીધી છે. જો કે, 224 સભ્યોની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સંભાવનાઓ વધુ સારી દેખાઈ રહી છે. પરંતુ બંને મુખ્ય પક્ષો માટે 113 બેઠકોના જાદુઈ આંકડા (બહુમતી) સુધી પહોંચવું બહુ સરળ લાગતું નથી. આ વખતે કર્ણાટક વિધાનસભામાં ત્રિશંકુ વિધાનસભા બને તેના સંકેતો વધુ છે.

આવી સ્થિતિમાં જનતા દળ (સેક્યુલર) ચૂંટણી પછી ‘કિંગમેકર’ની ભૂમિકા ભજવવા માટે તૈયાર થઈ રહ્યું છે. જેમ કે આ પાર્ટીએ 2018ની ચૂંટણીની સાથે ઘણી વખત આવું કર્યું છે.

કોંગ્રેસના કેટલાક નેતાઓના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પાર્ટીના આંતરિક સર્વેક્ષણો દર્શાવે છે કે તે આગામી ચૂંટણીમાં લગભગ 90-105 બેઠકો સાથે બહુમતીથી ઓછી પડી શકે છે. સૂત્રો સાથે વાત કરતા કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે આ વખતે કોંગ્રેસ પાર્ટી 2018ની ચૂંટણી કરતાં વધુ સારું પ્રદર્શન કરવાની સ્થિતિમાં છે.

તેમણે કહ્યું કે, જ્યારે અમારા કેટલાક ધારાસભ્યોના પક્ષપલટા પહેલા અમે 80 બેઠકો જીતી હતી. અમારા સર્વે મુજબ, અમે બેલગાવી અને કલ્યાણ કર્ણાટક પ્રદેશોમાં અમારી સંખ્યામાં સુધારો કરીશું. કલ્યાણા કર્ણાટક પ્રદેશમાં કોંગ્રેસની સંભાવનાઓને વેગ આપતા પરિબળોમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગેનું કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનવું પણ છે. જેઓ આ પ્રદેશના કાલબુર્ગી જિલ્લામાંથી આવે છે.

ભ્રષ્ટાચાર અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના મુદ્દે BJP વિરૂદ્ધ કોંગ્રેસ પક્ષના અભિયાનની અસર રાજ્યના કેટલાક ભાગોમાં પણ પડવાની અપેક્ષા છે.

BJPના સૂત્રોનું કહેવું છે કે, અનેક કારણોસર પાર્ટીની સત્તામાં વાપસીની શક્યતા ઓછી જોવામાં આવે છે. જેમાં અસંતુષ્ટ નેતાઓની સંખ્યા વધવી, ભૂતપૂર્વ મંત્રીઓ KS ઇશ્વરપ્પા અને રમેશ જરકીહોલીને કેન્દ્રના મંત્રીમંડળ કેબિનેટમાં સામેલ ન કરવા બદલ પાર્ટીમાં નારાજગી પ્રવર્તી રહી છે.

ગયા વર્ષે પાર્ટીના દિગ્ગજ નેતા BS યેદિયુરપ્પાના CM તરીકે તેમને પદ પરથી હટાવવાની અસર BJPના લિંગાયત સમર્થન આધાર પર અસર પડી શકે છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, BJPના આંતરિક સર્વેક્ષણો અનુસાર, ગત ચૂંટણીમાં 104 બેઠકોની સરખામણીમાં આ વખતે પાર્ટી 70-80 બેઠકો સુધી જ સીમિત રહી શકે છે. પાર્ટીમાં કેટલાક નેતાઓનો અભાવ છે, જેમ કે યેદિયુરપ્પા જેમના નેતૃત્વમાં BJPએ ઘણી ચૂંટણીઓ લડી હતી. તેમની ગેરહાજરીથી પાર્ટીને નુકસાન થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.