શું દક્ષિણમાં 'કમળ' સુકાઈ જશે? આંતરિક સરવેથી ઉત્સાહિત કોંગ્રેસ, 'સ્વામી'ને આશા

કર્ણાટક વિધાનસભામાં આવતા વર્ષે એપ્રિલ 2023માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તારૂઢ BJP અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસે કમર કસી લીધી છે. જો કે, 224 સભ્યોની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સંભાવનાઓ વધુ સારી દેખાઈ રહી છે. પરંતુ બંને મુખ્ય પક્ષો માટે 113 બેઠકોના જાદુઈ આંકડા (બહુમતી) સુધી પહોંચવું બહુ સરળ લાગતું નથી. આ વખતે કર્ણાટક વિધાનસભામાં ત્રિશંકુ વિધાનસભા બને તેના સંકેતો વધુ છે.

આવી સ્થિતિમાં જનતા દળ (સેક્યુલર) ચૂંટણી પછી ‘કિંગમેકર’ની ભૂમિકા ભજવવા માટે તૈયાર થઈ રહ્યું છે. જેમ કે આ પાર્ટીએ 2018ની ચૂંટણીની સાથે ઘણી વખત આવું કર્યું છે.

કોંગ્રેસના કેટલાક નેતાઓના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પાર્ટીના આંતરિક સર્વેક્ષણો દર્શાવે છે કે તે આગામી ચૂંટણીમાં લગભગ 90-105 બેઠકો સાથે બહુમતીથી ઓછી પડી શકે છે. સૂત્રો સાથે વાત કરતા કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે આ વખતે કોંગ્રેસ પાર્ટી 2018ની ચૂંટણી કરતાં વધુ સારું પ્રદર્શન કરવાની સ્થિતિમાં છે.

તેમણે કહ્યું કે, જ્યારે અમારા કેટલાક ધારાસભ્યોના પક્ષપલટા પહેલા અમે 80 બેઠકો જીતી હતી. અમારા સર્વે મુજબ, અમે બેલગાવી અને કલ્યાણ કર્ણાટક પ્રદેશોમાં અમારી સંખ્યામાં સુધારો કરીશું. કલ્યાણા કર્ણાટક પ્રદેશમાં કોંગ્રેસની સંભાવનાઓને વેગ આપતા પરિબળોમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગેનું કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનવું પણ છે. જેઓ આ પ્રદેશના કાલબુર્ગી જિલ્લામાંથી આવે છે.

ભ્રષ્ટાચાર અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના મુદ્દે BJP વિરૂદ્ધ કોંગ્રેસ પક્ષના અભિયાનની અસર રાજ્યના કેટલાક ભાગોમાં પણ પડવાની અપેક્ષા છે.

BJPના સૂત્રોનું કહેવું છે કે, અનેક કારણોસર પાર્ટીની સત્તામાં વાપસીની શક્યતા ઓછી જોવામાં આવે છે. જેમાં અસંતુષ્ટ નેતાઓની સંખ્યા વધવી, ભૂતપૂર્વ મંત્રીઓ KS ઇશ્વરપ્પા અને રમેશ જરકીહોલીને કેન્દ્રના મંત્રીમંડળ કેબિનેટમાં સામેલ ન કરવા બદલ પાર્ટીમાં નારાજગી પ્રવર્તી રહી છે.

ગયા વર્ષે પાર્ટીના દિગ્ગજ નેતા BS યેદિયુરપ્પાના CM તરીકે તેમને પદ પરથી હટાવવાની અસર BJPના લિંગાયત સમર્થન આધાર પર અસર પડી શકે છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, BJPના આંતરિક સર્વેક્ષણો અનુસાર, ગત ચૂંટણીમાં 104 બેઠકોની સરખામણીમાં આ વખતે પાર્ટી 70-80 બેઠકો સુધી જ સીમિત રહી શકે છે. પાર્ટીમાં કેટલાક નેતાઓનો અભાવ છે, જેમ કે યેદિયુરપ્પા જેમના નેતૃત્વમાં BJPએ ઘણી ચૂંટણીઓ લડી હતી. તેમની ગેરહાજરીથી પાર્ટીને નુકસાન થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.