એક ફોન કોલે મુંબઇ પોલીસની ઉડાવી ઊંઘ, કોલર બોલ્યો-1993ની જેમ થશે બ્લાસ્ટ, દંગા...

દેશની આર્થિક રાજધાનીમાં એક ફોન કોલથી પોલીસ હરકતમાં આવી ગઇ છે. એક વ્યક્તિએ મુંબઇ પોલીસના કંટ્રોલ રૂમમાં ફોન કરીને શહેરના કેટલાક વિસ્તારમાં બોમ્બ ધમાકા થવાની વાત કહી છે. પોલીસને ફોન કરનારા વ્યક્તિએ કહ્યું કે, મુંબઇમાં વર્ષ 1993ની જેમ જ ઠેર-ઠેર બોમ્બ ધમાકા થશે. અજાણ્યા કોલરની વાત સાંભળીને પોલીસ વિભાગમાં હાહાકાર મચી ગયો છે. તો મહારાષ્ટ્રના આતંકરોધી ટીમને તેની જાણકારી આપી દેવામાં આવી છે.

જાણકારી બાદ ATS પણ હરકતમાં આવી ગઇ છે. રિપોર્ટ્સ મુજબ, મુંબઇ પોલીસને શનિવારે અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો. કોલરે દાવો કર્યો હતો કે, 2 મહિનાની અંદર બાઇ કે માહિમ, ભિંડી બાજાર, નાગપાડા અને મદનપુર વિસ્તારમાં બોમ્બ ધમાકા થશે. એ સિવાય દંગા પણ થશે. તેના માટે બીજા રાજ્યોમાંથી લોકો બોલાવવામાં આવ્યા છે. કોલરની ધમકી ભરેલા કોલથી મુંબઇ પોલીસના હોશ ઊડી ગયા. પોલીસ તાત્કાલિક કોલને ટ્રેસ કરવાના પ્રયાસમાં લાગી ગઇ છે, જેથી કોલરની જાણકારી મેળવી શકાય. આ ધમકી ભરેલા કોલથી મહારાષ્ટ્ર ATS પણ એક્ટિવ થઇ ગઇ છે.

ATSએ એક વ્યક્તિની ધરપકડ કરી છે. ATSએ વ્યક્તિને મુંબઇના મલાડ વિસ્તારના પઠાનવાડીથી કસ્ટડીમાં લીધો છે. જો કે, અત્યાર સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી કે આરોપીએ આ ધમકી કોના કહેવા પર અને કેમ આપી. કહેવામાં આવી રહ્યું છે કે ATS આગળની પૂછપરછ માટે આરોપીને આઝાદ મેદાન પોલીસને સોંપી દેશે.

1993ના ધમકાઓએ મુંબઇને હચમચાવી મૂક્યું હતું:

વર્ષ 1993માં મુંબઇ શહેર માત્ર 2 કલાક અને 10 મિનિટમાં ધધકી ઉઠ્યું હતું. શુક્રવાર, 12 માર્ચ 1993ની બપોરે દોઢ વાગ્યાથી લઇને 3:40 વાગ્યા વચ્ચે શહેરમાં તબાહી મચી ગઇ હતી. એક બાદ એક 13 બોમ્બ ધમાકાઓએ શહેરને ઓળખ આપતી ઇમરતોને નિશાનો બનાવી હતી. પહેલો નિશાનો બન્યું આર્થિક ગતિવિધિનું પ્રતિક બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE). દક્ષિણ તરફથી એર ઇન્ડિયાની ઇમારતથી લઇને પશ્ચિમમાં લેન્ડ્સ એન્ડ મેમ સી રોક હોટલ સુધી ધમાકાઓના અવાજો ગુંજી ઉઠ્યા હતા.

દક્ષિણપંથી પાર્ટી શિવસેનાનું હેડક્વાર્ટર આ હુમાલાઓનું એક સ્વાભાવિક નિશાનો હતું કેમ કે આ ધમાકા ડિસેમ્બર 1992 અને જાન્યુઆરી 1993માં થયેલા સાંપ્રદાયિક દંગાઓનો બદલો લેવા કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમો માર્યા ગયા હતા. મુંબઇમાં દંગા હિન્દુ કટ્ટરપંથીઓ દ્વારા ડિસેમ્બર 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદને ધ્વસ્ત કરવાના કારણે ભડક્યા હતા. આ દંગાઓના કારણે પોતે મુંબઇના લોકો પહેલા જ વહેંચાઇ ચૂક્યા હતા. વર્ષ 1993માં થયેલા ધમકાઓમાં 257 લોકોના મોત થઇ ગયા હતા અને 1,400 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મુંબઇની ચેતના માટે પણ એક ભારે ઝટકો સાબિત થયા.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.