અસદના અંતિમ સંસ્કારમાં 5 મહિલા બૂરખામાં દેખાઈ, પોલીસને લાગ્યું તેની મા છે પણ...

માફિયા ડોન અતીક અહેમદના પુત્ર અસદ અહેમદને શનિવારે પ્રયાગરાજના કસારી-મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન અહીં કેટલીક મહિલાઓ જોવા મળી હતી. પોલીસે કેટલીક મહિલાઓને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ મહિલાઓ રોકાઈ ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ચારથી પાંચ મહિલાઓ છે. તમામ મહિલાઓ બુરખામાં હતી. બાદમાં મહિલા પોલીસે તેમને રોકી હતી અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. એવી આશંકા હતી કે મહિલાઓમાંથી એક અસદની માતા અને વોન્ટેડ આરોપી શાઈસ્તા પરવીન હોઈ શકે છે.

જોકે, કબ્રસ્તાનની મસ્જિદમાં છુપાયેલી મહિલાઓમાં શાઇસ્તા પરવીન નહોતી. અતીકની બહેન શાહીન તેની પુત્રી અને ત્રણ મહિલા સંબંધીઓ હતી. પોલીસે દોઢ કલાક સુધી તપાસ કર્યા બાદ તમામને પાછા જવા દીધા હતા.

અગાઉ એક મહિલા મુખ્ય દ્વારમાંથી પસાર થઈ હતી, તેને અંદર જવા દેવામાં આવી હતી. તેણી પોતાને બુઆ કહેતી. કબ્રસ્તાનમાં મહિલાઓને જોયા બાદ એવા સવાલો પણ ઉઠી રહ્યા હતા કે શું આ મહિલાઓમાં શાઇસ્તા પરવીનનો પણ સમાવેશ થાય છે. જો કે આ સવાલનો જવાબ તપાસ બાદ મળી આવ્યો હતો. તપાસ બાદ જાણવા મળ્યું કે શાઇસ્તા પરવીન ઘટનાસ્થળે આવી ન હતી.

અતીક અહેમદના પુત્ર અસદને કસારી-મસારી કબ્રસ્તાનમાં સોંપવામાં આવ્યો હતો. તેમના અંતિમ સંસ્કારમાં 25 થી 30 લોકોએ હાજરી આપી હતી. આ દરમિયાન તેની ફોઈ સહિત પરિવારના કેટલાક અન્ય સભ્યો હાજર હતા. અતીક અહેમદ પોતાના પુત્રના અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શક્યો ન હતો. તેમજ તેની માતા શાઇસ્તા પરવીર તેના અંતિમ સંસ્કારમાં સામેલ થવા સક્ષમ ન હતી. અહીં તમને જણાવી દઈએ કે, ગુરુવારે UP STFએ ઝાંસીમાં એન્કાઉન્ટરમાં અસદ અને શૂટર ગુલામ મોહમ્મદને ઠાર માર્યા હતા. આ પછી બંનેના મૃતદેહને પ્રયાગરાજથી ઝાંસી લાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ બંને ઉમેશ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. ત્યારથી અસદ અને ગુલામ મોહમ્મદ ફરાર હતા.

માફિયા અતીક અહેમદ પુત્ર અસદ અહેમદના અંતિમ સંસ્કારમાં ભાગ ન લેવા માટે ખૂબ રડ્યો હતો. પોલીસને એક વાર પુત્રનો ચહેરો દેખાડવાની વિનંતી કરતો રહ્યો. તેણે કહ્યું કે, હું દુનિયાનો સૌથી કમનસીબ પિતા છું, જે પોતાના પુત્રના અંતિમ સંસ્કારમાં પણ સામેલ ન થઈ શક્યો. હું બરબાદ થઈ ગયો છું, તેણે પોલીસને તેની પત્ની શાઇસ્તા પરવીન વિશે પૂછ્યું, મારી પત્ની ક્યાં છે? તેણે તેની પત્નીને મળવા વિનંતી કરી. તે ફરાર હોવાનું જણાવાયું હતું. આ પછી તે ભાઈ અશરફને મળ્યા બાદ રડવાની વાત કરતો રહ્યો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.