બબીતા ફોગાટ હવે મહિલા પહેલવાનોનો સાથ છોડી રહી છે, સરકાર તરફી આપ્યું નિવેદન

દિલ્હીમાં પહેલવાનોના આંદોલનના 3 મુખ્ય ચહેરા (બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ) હવે પોતાની નોકરી પર પરત ફરી ગયા છે. સાક્ષી મલિકે કહ્યું કે, સત્યાગ્રહ સાથે સાથે તે રેલવેમાં પોતાની જવાબદારી નિભાવી રહી છે. તેની આ સ્પષ્ટતા એ સમાચારો બાદ આવી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, સાક્ષી પહેલવાનોના આંદોલનથી પાછળ હટી ગઈ છે. તેણે આ સમાચારોને ખોટા ગણાવ્યા અને કહ્યું કે, ન્યાયની લડાઈમાં અમારામાંથી કોઈ ન પાછળ હટ્યું છે અને ન હટશે.

આ દરમિયાન કુશ્તી મહાસંઘની દેખરેખ સમિતિના સભ્ય રહી ચૂકેલા બબીતા ફોગાટે પહેલવાનોના આંદોલન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, લોકો પહેલવાનોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કાયદાકીય પ્રક્રિયા અને સિસ્ટમ પર ભરોસો રાખવો જોઈએ. સરકાર આ મુદ્દાને ઉકેલવા માટે બધુ કરી રહી છે. હું હંમેશાં તેમની (પહેલવાનો) સાથે છું. આ આંદોલન કઈ દિશામાં જતું નજરે પડી રહ્યું છે? આ સવાલનો જવાબ આપતે બબતી ફોગાટે કહ્યુ કે, ખેલાડીઓની જે માગ છે તેના પર સરકારની પૂરી નજર છે, સરકાર દરેક વસ્તુને જોઈ પણ રહી છે અને સંભાળી પણ રહી છે.

કમિટીના સભ્યના રૂપમાં તમારું નામ કેવી રીતે આવ્યું? આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, બધા ખેલાડીઓએ મળીને સાક્ષીનું નામ લેવાનો નિર્ણય લીધો હતો. સાક્ષીએ પોતે કહ્યું હતું કે, હું નહીં સંભાળી શકું. સાક્ષીએ કહ્યું કે, તમે લોકો જો સહમત હોવ તો ઈચ્છીશ કે બબીતાને કમિટીની સભ્ય બનાવવામાં આવે. તેના પર બધાએ સહમતી પણ આપી. મેં કોઈ સાથે અન્યાય કર્યો નથી અને ન થવા દઇશ. હરિદ્વારની ઘટના પર તમારું શું કહેવું છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, જે કોઈએ પણ આ સલાહ આપી, તેણે ખેલાડીઓ બાબતે વિચાર્યું નથી. ક્યાંક ને ક્યાંક ખેલાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો. હું જો ત્યાં હોત તો ક્યારેય એમ ન કરવા દેતી. પછી કેમ નહીં પગ પગાડવા પડતા. મને એ વાતની તકલીફ છે.

હવે આ મામલે આગળ શું? તેના પર બબીતા ફોગાટે કહ્યું કે, બધાએ ન્યાયિક પ્રક્રિયા અને તપાસનું સમર્થન કરવું જોઈએ. શનિવારે જ પહેલવાનોએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. રેસલર સાક્ષી મલિકના પતિ સત્યવ્રત કાદિયાને આ બેઠકની પુષ્ટિ કરી હતી. તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા. જો કે, તેમણે કહ્યું હતું કે બેઠકમાં પહેલવાનોએ વૃજભૂષણની ધરપકડની માગ ઉઠાવી હતી, પરંતુ આ બેઠકમાં કોઈ પરિણામ ન આવ્યું.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.