તાજમહલને નુકસાન નહીં પણ ફાયદો પહોંચાડશે પૂરનું પાણી, જાણો શા માટે

ઉત્તર પ્રદેશના આગરામાં યમુના નદી તોફાને છે. યમુનાનું જળસ્તર એટલું વધી ગયું કે નદી તાજમહલને અડીને વહી રહી છે. હવે સવાલ ઉભો થાય છે કે જો યમુના નદીનું પાણી તાજમહલને સતત સ્પર્શીને વહેતું રહેશે તો તેનાથી નુકસાન થઇ શકે છે. ભવનોને મોટે ભાગે ભેજવાળા ક્ષેત્રથી દૂર બનાવવામાં આવે છે. પણ શાહજહાએ તાજમહલને બનાવવા માટે આખરે યમુના નદીનો કિનારો શા માટે પસંદ કર્યો, તેની પાછળ પણ મોટું કારણ છે.

મુઘલ સમ્રાટ શાહજહાએ તાજમહલને ખાસ વાસ્તુકળાને કારણે યમુના નદીના કિનારે બનાવ્યું હતું. કહેવામાં આવે છે કે 50 કુવાઓ પર યમુનાનું બંધારણ ટક્યુ છે. આખી ઈમારતનું વજન આ કુવાઓ પર છે. નિર્માણ સમયે આ કુવાઓમાં આબનૂસ અને મહોગનીના લાકડાઓ નાખવામાં આવ્યા હતા. આ કુવાઓની ડિઝાઈન એ રીતે કરવામાં આવી હતી કે યમુના નદીથી તેને ભેજ મળતો રહે, કારણ કે કુવાની અંદર પડેલા લાકડાઓને જેટલો ભેજ મળશે, એટલી વધારે મજબૂતાઇ તાજમહેલને મળશે. ASIના એક અધિકારી અનુસાર, તાજમહલના બંધારણમાં બનાવેલા કુવાઓને સતત પાણી મળતું રહે એ જરૂરી છે. જો તેને પાણી મળશે નહીં તો તે અસુરક્ષિત થઇ જશે.

આબનૂસના લાકડાનો ઉપયોગ મકાનનો સામાન બનાવવામાં કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે તે ભીના થવા પર વધારે મજબૂત થાય છે. આ લાકડા ભીના થવા પર ન તો સડે છે અને નહીં કે સંકોચાઇ છે કે ફૂલાઈ છે. તો મહોગનીના લાકડાની વાત કરીએ તો એ પણ અલગ રીતનું લાકડું છે. આના પર પણ પાણીની કોઈ અસર થતી નથી. આ લાકડાનો ઉપયોગ વહાણો, ફર્નીચર, પ્લાઈવુડ, શણગારની વસ્તુઓ અને મૂર્તિઓ બનાવવામાં કરવામાં આવે છે. પોતાના ઔષધીય ગુણોને કારણે આ લાકડામાં કોઈપણ રીતનો રોગ લાગતો  નથી.

તાજમહલના પાછળના ગામ નગલા પૈમા, અહમદ બુખારી, ગઢીમાં પાણી ભરાઈ ગયા છે. જોકે, યમુના નદીનું પૂરનું પાણી શહેરી ક્ષેત્રના લોકો માટે મુસીબતનું કારણ બન્યું છે. પાણીના ઝડપી વહેણને લીધે યમુના કિનારે વસેલા લોકોની ઝુપડીઓ અને સામાન પાણીમાં વહી ગયો છે. લાલ કિલ્લાની પાસે પણ યમુના નદીનું પાણી પહોંચી ગયું છે. યમુના કિનારા પર સ્થિત કૈલાશ મંદિરની અંદર પણ પાણી ભરાઇ ગયા છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.