અદાણી, અંબાણી, ટાટા અને બિરલાથી મારા સમયનું મૂલ્ય વધારે છે: બાબા રામદેવ

બાબા રામદેવે રવિવારે કહ્યું કે, કોર્પોરેટ પોતાનો 99 ટકા સમયનો ઉપયોગ પોતાના હિત માટે કરે છે, જ્યારે એક સંતાનો સમય બધાની ભલાઈ માટે થાય છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમનું અહી 3 દિવસ રહેવું મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા અબજપતિઓના સમયથી વધુ મૂલ્યવાન હતો. બાબા રામદેવ પોતાના સહયોગી આચાર્ય બાલકૃષ્ણને સન્માનિત કરવા માટે આયોજિત એક સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. તેમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયક ઉપસ્થિત હતા.

પતંજલિ આયુર્વેદના સંસ્થાપક બાબા રામદેવે કહ્યું કે, હું હરિદ્વારથી 3 દિવસ માટે અહીં આવ્યો. મારા સમયનું મૂલ્ય અદાણી, અંબાણી, ટાટા અને બિરલાથી વધારે છે. કોર્પોરેટ પોતાનો 99 ટકા સમયનો ઉપયોગ પોતાના હિત માટે કરે છે, જ્યારે એક સંતાનો સમય બધાની ભલાઈ માટે હોય છે. તેમણે પતંજલિને પુનર્જીવિત કરીને તેને આ નાણાકીય વર્ષ દરમિયાન 40 હજાર કરોડ રૂપિયાના ટર્નઓવર’વાળી કંપની બનાવવા માટે બાલકૃષ્ણના વખાણ કર્યા.

તેમણે કહ્યું કે, ‘પતંજલિ જેવુ સામ્રાજ્ય બનાવીને ભારતને પરમ વૈભવશાળી બનાવવાનું સપનું સાકાર કરી શકાય છે. અહીં બાબા રામદેવે એમ પણ કહ્યું કે શાળામાં અભ્યાસ કરાવવામાં આવતા ઇતિહાસના પુસ્તકો ખોટા છે કે સાચા? દેશના અસલી નાયક કોણ છે? મુઘલ શાસકો પર ફરીથી રાજકીય જંગ શરૂ થઈ ગઈ છે. ગોવાના એક કાર્યક્રમમાં યોગ ગુરુ બાબા રામદેવે આરોપ લગાવ્યો કે પાઠ્ય પુસ્તકોમાં ખોટો ઇતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે. મુઘલ શાસકોનું મહિમામંડન કરવામાં આવે છે. જ્યારે પોતાના નાયકો બાબતે ખોટી જાણકારી આપવામાં આવી છે.

આ અગાઉ શનિવારે રામદેવે દાવો કર્યો હતો કે કોરોના મહામારી બાદ દેશમાં કેન્સરના કેસ વધ્યા છે, પરંતુ ચિકિત્સા વિશેષજ્ઞોનું કહેવું છે બંને વચ્ચે કોઈ સંબંધ નથી અને કેસોમાં વૃદ્ધિ એક સામાન્ય ઘટના છે. એક પ્રસિદ્ધ ઓન્કોલજીસ્ટે કહ્યું કે, કેન્સરના કેસ વાર્ષિક 5 ટકા અવધિ રહ્યા છે અને તેનું મહામારી સાથે કોઈ લેવું-દેવું નથી. બાબા રામદેવે ગોવાના મીરામાર સમુદ્ર તટ પર સવારે સવારે એક સભાને સંબોધિત કરતા આ ટિપ્પણી કરી હતી, જ્યાં તેમની પતંજલિ યોગ સમિતિએ એક યોગ શિબિરનું આયોજન કર્યું હતું.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.