ચૈત્રી નવરાત્રિ પર UPમાં સરકારી ખર્ચે થશે દુર્ગા સપ્તશતીના પાઠ, દરેક જિલ્લાને...

યોગી સરકાર 22 માર્ચથી શરૂ થનારી ચૈત્રી નવરાત્રી પર શક્તિપીઠો અને મંદિરોમાં વિશેષ આયોજન કરશે. આખા રાજ્યના બધા મંદિરોમાં અખંડ રામાયણ અને દુર્ગા સપ્તશતીના પાઠ કરવામાં આવશે. તેની સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવશે. તેના માટે બધા જિલ્લાના અધિકારીઓ અને મંડળોના કમિશનરોને નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકાર આ પ્રકારના આયોજન માટે બધા જિલ્લાઓને 1-1 લાખ રૂપિયા પણ ઉપલબ્ધ કરાવી રહી છે.

જિલ્લા, તાલુકા અને બ્લોક સ્તર પર આ આયોજન થશે. ખાસ કરીને આ આયોજનોમાં મહિલાઓની સહભાગિતા કરાવવામાં આવશે. જિલ્લાના અધિકારીઓને 21 માર્ચ સુધી બધી તૈયારીઓ પૂરી કરવાના નિર્દેશ આપ્યા છે. તેની સાથે જ જે મંદિરોમાં કાર્યક્રમ થશે તેમના નામ, સરનામા, મંદિરોની તસવીરો અને મંદિર મેનેજમેન્ટ સંસ્થાઓનું સંપર્ક વિવરણ શેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેને લઈને રાજ્ય સ્તર પર 2 નોડલ અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે, જે આ કાર્યક્રમોને સફળતાપૂર્વક સંપન્ન કરાવવામાં મદદ કરશે.

સંસ્કૃતિ વિભાગના મુખ્ય સચિવ મુકેશ મેશ્રામ તરફથી નિર્દેશ જાહેર કરાયેલા આ કાર્યક્રમોમાં મહિલાઓ અને છોકરીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા પર ભાર આપવામાં આવ્યો છે. મંદિરોમાં જે પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે, તેમના ફોટોગ્રાફ સંસ્કૃતિ વિભાગની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ આયોજનો માટે દરેક તાલુકા અને જિલ્લા સ્તર પર આયોજન સમિતિની રચના કરવામાં આવશે. આ આયોજનો માટે દરેક તાલુકા અને જિલ્લા સ્તર પર આયોજન સમિતિનું રચના કરવામાં આવશે.

જિલ્લા અધિકારીની અધ્યક્ષતા એક સમિતિ બનશે, જે એ કલાકારોની પસંદગી કરશે. કલાકાર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રસ્તુતિ આપશે. આ આયોજનોમાં જનપ્રતિનિધિઓની ભાગીદારી પણ હશે. કલાકારો માટે વિભાગે 1-1 લાખ રૂપિયાની ફાળવ્યા છે. ઉલ્લેખનીય છે કે ચૈત્ર નવરાત્રિનો પર્વ 22 માર્ચથી શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન મા દુર્ગાની વિધિ-વિધાનથી પૂજા થાય છે. આ વખત રાજ્યના દેવી મંદિરો અને શક્તિપીઠોમાં દુર્ગા સપ્તશતીનો પાઠ, દેવી ગાયન, દેવી નારાયણ, ઝાંખીઓ અને અખંડ રામાયણ પાઠનું આયોજન કરવામાં આવશે. સરકાર આ આયોજનો માટે દરેક જિલ્લાને 1-1 લાખ રૂપિયા ઉપલબ્ધ કરાવી રહી છે.

મા દુર્ગાના કયા સ્વરૂપની કયા દિવસે પૂજા થશે?

નવરાત્રીનો પહેલો દિવસ: 22 માર્ચ 2023, બુધવાર, મા શૈલપુત્રીની પૂજા (ઘડાની સ્થાપના).

નવરાત્રિનો બીજ દિવસ: 23 માર્ચ 2023, ગુરુવાર, મા બ્રહ્મચારિણીની પૂજા.

નવરાત્રિનો ત્રીજો દિવસ: 24 માર્ચ 2023, શુક્રવાર, મા ચંદ્રઘટાની પૂજા.

નવરાત્રિનો ચોથો દિવસ: 25 માર્ચ 2023, શનિવાર, મા કૃષ્માંડાની પૂજા.

નવરાત્રિનો પાંચમો દિવસ: 26 માર્ચ 2024, રવિવાર, મા સ્કંદમાતાની પૂજા.

નવરાત્રિનો છઠ્ઠો દિવસ: 27 માર્ચ 2023, સોમવાર, મા કાત્યાયનીની પૂજા.

નવરાત્રિનો સાતમો દિવસ: 28 માર્ચ 2023, મંગળવાર, મા કાલરાત્રિની પૂજા.

નવરાત્રિનો આઠમો દિવસ: 29 માર્ચ 2023, બુધવાર, મા મહાગૌરીની પૂજા.

નવરાત્રિનો નવમો દિવસ: 30 માર્ચ 2023, ગુરુવાર, મા સિદ્ધિદાત્રીની પૂજા.

31 માર્ચ, શુક્રવાર, નવરાત્રી પૂર્ણાહુતિ, પારણા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.