ચૈત્રી નવરાત્રિ પર UPમાં સરકારી ખર્ચે થશે દુર્ગા સપ્તશતીના પાઠ, દરેક જિલ્લાને...

યોગી સરકાર 22 માર્ચથી શરૂ થનારી ચૈત્રી નવરાત્રી પર શક્તિપીઠો અને મંદિરોમાં વિશેષ આયોજન કરશે. આખા રાજ્યના બધા મંદિરોમાં અખંડ રામાયણ અને દુર્ગા સપ્તશતીના પાઠ કરવામાં આવશે. તેની સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવશે. તેના માટે બધા જિલ્લાના અધિકારીઓ અને મંડળોના કમિશનરોને નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકાર આ પ્રકારના આયોજન માટે બધા જિલ્લાઓને 1-1 લાખ રૂપિયા પણ ઉપલબ્ધ કરાવી રહી છે.

જિલ્લા, તાલુકા અને બ્લોક સ્તર પર આ આયોજન થશે. ખાસ કરીને આ આયોજનોમાં મહિલાઓની સહભાગિતા કરાવવામાં આવશે. જિલ્લાના અધિકારીઓને 21 માર્ચ સુધી બધી તૈયારીઓ પૂરી કરવાના નિર્દેશ આપ્યા છે. તેની સાથે જ જે મંદિરોમાં કાર્યક્રમ થશે તેમના નામ, સરનામા, મંદિરોની તસવીરો અને મંદિર મેનેજમેન્ટ સંસ્થાઓનું સંપર્ક વિવરણ શેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેને લઈને રાજ્ય સ્તર પર 2 નોડલ અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે, જે આ કાર્યક્રમોને સફળતાપૂર્વક સંપન્ન કરાવવામાં મદદ કરશે.

સંસ્કૃતિ વિભાગના મુખ્ય સચિવ મુકેશ મેશ્રામ તરફથી નિર્દેશ જાહેર કરાયેલા આ કાર્યક્રમોમાં મહિલાઓ અને છોકરીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા પર ભાર આપવામાં આવ્યો છે. મંદિરોમાં જે પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે, તેમના ફોટોગ્રાફ સંસ્કૃતિ વિભાગની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ આયોજનો માટે દરેક તાલુકા અને જિલ્લા સ્તર પર આયોજન સમિતિની રચના કરવામાં આવશે. આ આયોજનો માટે દરેક તાલુકા અને જિલ્લા સ્તર પર આયોજન સમિતિનું રચના કરવામાં આવશે.

જિલ્લા અધિકારીની અધ્યક્ષતા એક સમિતિ બનશે, જે એ કલાકારોની પસંદગી કરશે. કલાકાર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રસ્તુતિ આપશે. આ આયોજનોમાં જનપ્રતિનિધિઓની ભાગીદારી પણ હશે. કલાકારો માટે વિભાગે 1-1 લાખ રૂપિયાની ફાળવ્યા છે. ઉલ્લેખનીય છે કે ચૈત્ર નવરાત્રિનો પર્વ 22 માર્ચથી શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન મા દુર્ગાની વિધિ-વિધાનથી પૂજા થાય છે. આ વખત રાજ્યના દેવી મંદિરો અને શક્તિપીઠોમાં દુર્ગા સપ્તશતીનો પાઠ, દેવી ગાયન, દેવી નારાયણ, ઝાંખીઓ અને અખંડ રામાયણ પાઠનું આયોજન કરવામાં આવશે. સરકાર આ આયોજનો માટે દરેક જિલ્લાને 1-1 લાખ રૂપિયા ઉપલબ્ધ કરાવી રહી છે.

મા દુર્ગાના કયા સ્વરૂપની કયા દિવસે પૂજા થશે?

નવરાત્રીનો પહેલો દિવસ: 22 માર્ચ 2023, બુધવાર, મા શૈલપુત્રીની પૂજા (ઘડાની સ્થાપના).

નવરાત્રિનો બીજ દિવસ: 23 માર્ચ 2023, ગુરુવાર, મા બ્રહ્મચારિણીની પૂજા.

નવરાત્રિનો ત્રીજો દિવસ: 24 માર્ચ 2023, શુક્રવાર, મા ચંદ્રઘટાની પૂજા.

નવરાત્રિનો ચોથો દિવસ: 25 માર્ચ 2023, શનિવાર, મા કૃષ્માંડાની પૂજા.

નવરાત્રિનો પાંચમો દિવસ: 26 માર્ચ 2024, રવિવાર, મા સ્કંદમાતાની પૂજા.

નવરાત્રિનો છઠ્ઠો દિવસ: 27 માર્ચ 2023, સોમવાર, મા કાત્યાયનીની પૂજા.

નવરાત્રિનો સાતમો દિવસ: 28 માર્ચ 2023, મંગળવાર, મા કાલરાત્રિની પૂજા.

નવરાત્રિનો આઠમો દિવસ: 29 માર્ચ 2023, બુધવાર, મા મહાગૌરીની પૂજા.

નવરાત્રિનો નવમો દિવસ: 30 માર્ચ 2023, ગુરુવાર, મા સિદ્ધિદાત્રીની પૂજા.

31 માર્ચ, શુક્રવાર, નવરાત્રી પૂર્ણાહુતિ, પારણા.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.