FB LIVE કરી યોગીજી મારા બાળકોની સંભાળ રાખજો કહી વેપારીએ લમણે ગોળી મારી દીધી

વ્યાજખોરોનો આતંક માત્ર ગુજરાતમાં જ છે એવું નથી. ઉત્તર પ્રદેશના  બલિયામાં વ્યાજખોરોના ત્રાસને લીધે એક હસતો ખેલતો પરિવાર ઉજળી ગયો છે.બલિયામાં રહેતા એક વેપારીએ ફેસબુક પર લાઇવ કરીને કહ્યું કે, હું વ્યાજખોરોના ત્રાસથી પરેશાન થઇ ગયો છું અને હવે જીવવા માંગતો નથી. વેપારીએ લાઇવ વીડિયોમાં કહ્યું કે, યોગીજી મારા બાળકોની સંભાળ રાખજો. આટલું બોલીને પોતાના લમણા પર ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.

ઉત્તર પ્રદેશના બલિયામાં, વ્યાજખોરોએ એક સુખી પરિવારને ઉજાળી નાંખ્યો છે. બલિયા શહેરના માલગોદામ રોડ પર રહેતા નંદલાલ ગુપ્તા બુધવારે ફેસબુક પર લાઈવ થયા હતા અને આ દરમિયાન તેમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ વીડિયોમાં નંદલાલ ગુપ્તાએ કહ્યું કે હું વ્યાજખોરોના કારણે પરેશાન છું, યોગીજી-મોદીજી મારા બાળકોનું ધ્યાન રાખજો.આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ હોબાળો શરૂ થયો હતો

ગુરુવારે યોગી સરકારના મંત્રી દયાશંકરિ સિંહ નંદલાલ ગુપ્તાના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. મંત્રીએ કહ્યુ કે જે કોઇ પણ દોષી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. વ્યાજખોરોનું વિષ ચક્ર ખતમ કરવામાં આવશે એમ મંત્રીએ કહ્યું હતું.

નંદલાલ ગુપ્તાના પત્ની મોની ગુપ્તાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને જિલ્લાના અધિકારીઓ પાસે ન્યાયની માંગ કરી છે.મોની ગુપ્તાએ કહ્યુ કે જે રીતે વ્યાજ ખોરોએ મારું જીવન ખરાબ કરી નાંખ્યું છે, મારા પરિવારને ઉજાડી નાંખ્યો છે, એ જ રીતે વ્યાજખોરોને પણ કડક સજા આપવામાં આવે.

મોની ગુપ્તાનો દાવો છે કે મારા પતિએ વ્યાજખોરેને પુરેપુરી રકમ ચૂકવી દીધી હતી, છતા આ વ્યાજખોરો મારા પતિને માનસિક રીતે પરેશાન કરતા હતા. તેમને આત્મહત્યા કરવામા માટે વિવશ કર્યા હતા.

મોની ગુપ્તાએ કહ્યું કે બધા બદમાશોને મુખ્યમંત્રી યોગી ફાંસીના માંચડે લટકાવી દે અને તેમના ઘરો પર બુલડોઝર ફેરવી દે, જેથી ફરી કોઇ આત્મહત્યા ન કરે.મોની ગુપ્તાએ કહ્યું હતું કે બધા રૂપિયા લઇ લીધા પછી જમીન પણ લખાવી લીધી હતી. નંદલાલને બે સંતાનો છે અને BALLIA ARMS CORPORATION નામથી દુકાન છે.

નંદલાલની પત્ની મોની ગુપ્તાએ પોલીસમાં હનુમાન સિંહ, અજય સિંહ, દેવ નારાયણ સિંહ, સહજાનંદ સિંહ, અનિલ ચૌબે, રાહુલ ચૌબે, રોહિત ચૌબે, અખિલેશ પ્રતાપ, આલોક સિંહ, સુનીલ મિશ્રા, રાજુ મિશ્રા સહિત અનેક લોકોના નામ સામેલ છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.<

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.