તમે કોંગ્રેસ કરતા પણ ખરાબ છો, ગ્રામજનોએ BJPના ધારાસભ્યને કેમ ફટકાર્યા

PC: livehindustan.com

મધ્યપ્રદેશમાં BJPના ધારાસભ્યો તેમના વિસ્તારોમાં વિકાસ બતાવવા માટે વિકાસ યાત્રા કાઢી રહ્યા છે. પરંતુ આ વિકાસયાત્રા હવે તેમના ગળાનું હાડકું બની રહી છે. નીચલા સ્તરે વિકાસના અભાવે લોકો હવે ખુલ્લેઆમ વિરોધ કરવા લાગ્યા છે. ખંડવાના ગ્રામીણ વિસ્તારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિકાસ યાત્રા સાથે પહોંચેલા BJPના ધારાસભ્યનો વિકાસ રથ રસ્તામાં જ ફસાઈ ગયો હતો. ગ્રામજનોએ તેને બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લીધી હતી. સાથે જ ગામમાં પાકા રોડના અભાવે ગ્રામજનોએ પણ વિકાસ યાત્રાનો વિરોધ કર્યો હતો.

એટલું જ નહીં, અન્ય એક વાયરલ વીડિયોમાં જ્યારે ધારાસભ્ય તેમના વિકાસ કામને ગણાવી રહ્યા હતા, ત્યારે ગામના એક વ્યક્તિએ તેમને રોક્યા અને વિકાસ વિશે પૂછવા લાગ્યા. તે વ્યક્તિ કહેતો જોવા મળે છે કે, ગામનો 3 કિલોમીટરનો રસ્તો બનાવવાની મંજૂરી તમારાથી મેળવી શકાય નથી. વિકાસ યાત્રામાં શું ખાખ કરશો? અમે કોંગ્રેસને ખરાબ માનતા હતા પરંતુ તમે લોકો કોંગ્રેસ કરતા પણ ખરાબ છો. એટલામાં ધારાસભ્ય તેમને રોકે છે, અને કહે છે કે અમે વોટ લેવા નથી આવ્યા. અમને મત ન આપો, એ તમારો અધિકાર છે.

ખંડવા વિધાનસભા ક્ષેત્રના ગામડાઓમાં સોમવારે BJPની વિકાસ યાત્રાનો પ્રારંભ થયો હતો. વિકાસ યાત્રા દરમિયાન ધારાસભ્ય દેવેન્દ્ર વર્મા ગામ ગોહલારી પહોંચ્યા હતા. જ્યાં તેમનો વિકાસ રથ ગામના માર્ગ પર અટકી ગયો હતો. જેને ગ્રામજનો દ્વારા ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. આટલું જ નહીં, વિકાસ યાત્રા દરમિયાન યોજાયેલી મીટિંગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રોહિણીના ધારાસભ્ય દેવેન્દ્ર વર્મા પેન્શન અને અન્ય યોજનાઓ વિશે જણાવી રહ્યા હતા. ત્યારે પૂર્વ સરપંચ બલરામ મિસ્ત્રીએ કહ્યું, ગામનો 3 કિમીનો રસ્તો તમે મંજૂર નથી કરાવી શકતા, તો તમે શું વિકાસ યાત્રા કરશો?

અમે કોંગ્રેસને ખરાબ માનતા હતા, પરંતુ તમે લોકો કોંગ્રેસ કરતા પણ ખરાબ છો. રોડ બનાવો, નહીં તો અમે વોટ નહીં આપીએ. જેના જવાબમાં ધારાસભ્યએ જણાવ્યું હતું. તમે મત ના આપો દાદા, એ તમારો અધિકાર છે. જ્યારે તેઓ સરપંચ હતા ત્યારે અમારી પાસે કેમ ન આવ્યા. ગામના સરપંચ જુગરબાઈ લવકુશ ચૌહાણે યાત્રામાં ભાગ લીધો ન હતો.

અહીં લોકોએ રસ્તા અને પાણીના અભાવે વિરોધ પણ કર્યો હતો. જ્યારે ધારાસભ્ય કાર્યક્રમમાં ભાગ લેવા આગળ વધ્યા ત્યારે વિકાસ રથ ખાડાવાળા ગામના રસ્તામાં ફસાઈ ગયો. બે કલાકની જહેમત બાદ BJPના આગેવાનો દ્વારા ટ્રેક્ટર અને ગ્રામજનોની મદદથી રથને બહાર કાઢવામાં આવ્યો હતો. ગ્રામીણ મુકેશ રાવે જણાવ્યું કે, ગામમાં માતા મંદિરનો રસ્તો ખરાબ છે. જેના કારણે લોકો બે કિલોમીટર જેટલું લાંબુ ફરીને જાય છે. ધારાસભ્યએ અમારી માંગણી પર કહ્યું કે, જો મારાથી કામ થશે તો હું ગામમાં આવીશ, નહીંતર હું આવું નહીં. બીજી તરફ વિરેન્દ્ર સિંહે જણાવ્યું કે, ગામની ગલીઓમાં રસ્તાઓ આના કરતાં પણ વધારે ખરાબ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp