તમે મારો સાથ આપો, આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવીશું:બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલના દિવસોમાં ચર્ચામાં છે. આ દરમિયાન તેમણે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કહી છે. તેમણે સોમવારે કહ્યું કે, આજે સુભાષ ચંદ્ર બોઝની જયંતિ છે. બોઝે એક નારો આપ્યો હતો, પરંતુ અમે આજે એક નવો નારો બનાવ્યો છે. ‘તમે મારો સાથ આપો, આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવીશું.’ તેની સાથે જ તેમણે કહ્યું કે, અમે ભારતના લોકોને અપીલ કરીએ છીએ કે, હવે બંગડી પહેરીને ન બેસો. હવે બહાર નીકળીને બતાવવું જ પડશે. જો લોકો અત્યારે પણ બહાર ના નીકળ્યા, તો અમે તેમને ડરપોક માનીશું.

સાથે જ કહ્યું કે, જો તમે સનાતની છો તો મારો સાથ આપો. ઘરમાંથી બહાર નીકળો. મારે માત્ર સનાતન ધર્મને આગળ વધારવાનો છે. હું કોઇ પોલિટિકલ પાર્ટીમાં નથી. ધર્મ વિરોધીઓને જવાબ આપવાનો છે. તેઓ આપણને ટાર્ગેટ કરી રહ્યા છે, પરંતુ ભારત હિન્દુ રાષ્ટ્ર છે. કેટલાક લોકોની અંદર સનાતની લોહી નથી. એવા લોકો હિન્દુ થઇને હિન્દુ પર સવાલ ઉઠાવે છે. તમે લોકો આ નારો ઘણા લોકોને શેર કરો. આ દરમિયાન તેમણે કહ્યું કે, એ પણ ચમત્કાર છે કે, ભારતનો હિન્દુ એક થઇ ચૂક્યો છે. મારી પ્રાર્થના બેકાર ન જવા દેતા.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી બોલ્યા કે, હું કોઇ રાજનીતિક પાર્ટીમાં નહીં જાઉ. કોઇ પોલિટિક્સ નહીં કરું. અમે તો માત્ર સનતાનીઓને એક કરવાની વાત કરીશું. ભારતનું દરેક સંતાન અમારી સાથે છે, એ અમારું સૌભાગ્ય છે. અમે બધા સાધુઓને પ્રાર્થના કરીશું કે હવે ચૂપ થઇને ન બેસો. બાગેશ્વર ધામ તો બહાનું હતું, પરંતુ કેટલાક લોકોએ સનાતન ધર્મને નિશાનો બનાવવાનો હતો.

બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા કેટલાક દિવસોથી દેશ-વિદેશમાં લાઇમલાઇટમાં છે. તે કથિત ચમત્કારની ચર્ચા ઘરે ઘર થઇ રહી છે. આ દરમિયાન બાબાના ચમત્કારને દેશની જાણીતી માઇન્ડ રીડર સુહાની શાહે નકારી દીધો છે. તેમણે એક ન્યૂઝ ચેનલ સાથે શૉ કર્યો અને બાબાના કથિત ચમત્કારને માઇન્ડ રીડિંગ કરાર આપ્યો. કઇ રીતે ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોના મનની વાત સમજી લે છે. બાબાના દરબારમાં હજારો લોકો ન માત્ર કરિયર અને ભવિષ્ય સાથે જોડાયેલી પરેશાનીઓ લઇને આવે છે, પરંતુ પોતાની બીમારીઓની સારવાર કરાવવા પણ આવે છે.

પરંતુ શું હકીકતમાં બાબા અસાધ્ય બીમારીઓને સારી કરી શકે છે? શું બાબા બાગેશ્વર કોઇ ટચ થેરેપી જાણે છે. શું હકીકતમાં બાબા સારવાર કરી શકે છે? શું આ વિજ્ઞાનને પડકાર નથી? આ બધા સવાલોને લઇને લાઇવ ટેસ્ટ કરવામાં આવ્યું. માઇન્ડ રીડર સુહાની શાહે શૉમાં દર્શકો સાથે લાઇવ ટેસ્ટ કર્યા. તેણે એક દર્શકને રજાઓ માટે કોઇ જગ્યાનું નામ વિચારવા માટે કહ્યું. તેનો જવાબ આપવા માટે સુહાની શાહે દર્શકનું નામ પૂછ્યું અને તે ક્યાં રહે છે એ પૂછ્યું. ત્યારબાદ તેણે થોડા સમય સુધી માઇન્ડ રીડિંગ કર્યું અને પછી બોર્ડ પર એક નામ લખી દીધું. પછી તેણે દર્શકને એ જગ્યાનું નામ બતાવવા કહ્યું જે રામપુર હતું. સુહાની શાહે બોર્ડ પર પણ રામપુર જ લખ્યું હતું. એ જોઇને દર્શક પણ ચોંકી ગયા.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.