મૂસેવાલાના પિતાએ એમ શા માટે કહ્યું કે- ‘2024મા CM યોગીના નામે પડશે વોટ’

PC: ptcpunjabi.co.in

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના પિતા બળાકૌર સિદ્ધિએ લૉ એન્ડ ઓર્ડરની બાબતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથન વખાણ કર્યા છે. તેનું કહેવું છે કે, દીકરાની હત્યાના એટલા મહિના વીતી ગયા છતા પણ ન્યાય મળ્યો નથી. તેનાથી તેઓ દુઃખી છે. બલકૌર સિદ્ધુએ કહ્યું કે, હવે અમને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની યાદ આવવા લાગી છે. આગામી 2024ની ચૂંટણીમાં લોકો યોગી આદિત્યનાથના નામ પર વોટ કરશે કેમ કે તેમણે ઉત્તર પ્રદેશને આદર્શ રાજ્ય બનાવી દીધું છે.

તેણે કહ્યું કે, જો તેમનો દીકરો સિદ્ધુ મૂસેવાલાનો જન્મ સામાન્ય પરિવારની જગ્યાએ કોઈ રાજનૈતિક પરિવારમાં થતો તો કોઈ તેને સ્પર્શ કરવાની હિંમત પણ ન કરી શકતું. આ જ મહિને સિદ્ધુ મૂસેવાલાના માતા-પિતાએ પંજાબ વિધાનસભા બહાર ધરણાં પ્રદર્શન પણ કર્યા હતા. તેમણે ન્યાયની માગ કરી હતી. સાથે જ કહ્યું હતું કે, તેમના દીકરાની હત્યાનો માસ્ટરમાઈન્ડ હજુ પણ ફરાર છે. તપાસ એજન્સીઓ દ્વારા કંઈ પણ યોગ્ય પગલા ઉઠાવવામાં આવી રહ્યા નથી. હત્યાનો માસ્ટરમાઈન્ડ ફરાર છે.

બલકૌર સિંહને જ્યારે એમ પૂછવાના આવ્યું કે શું તેઓ CBI તપાસની માગ કરશે? તેના પર તેણે કહ્યું કે, નિશ્ચિત રૂપે CBI તપાસ થવી જોઈએ. આ દરમિયાન વિપક્ષ નેતા પ્રતાપ સિંહ બાજવા અને અન્ય કોંગ્રેસના નેતા પર સિદ્ધુ મૂસેવાલાના માતા-પિતા સાથે ધરણાં પ્રદર્શ સામેલ થયા હતા. જો કે, મૂસેવાલાના માતા-પિતાએ પંજાબના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલના આશ્વાસન બાદ વિરોધ સમાપ્ત કરી દીધો હતો. બળાકૌર સિંહ સિદ્ધુએ મંત્રીને જણાવ્યું હતું કે, પૂર્વમાં પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું.

તેણે કહ્યું કે, અહી આવ્યો છું કેમ કે અમારી પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો. છેલ્લા 10 મહિનાથી કોઈ પણ યોગ્ય પગલાં ઉઠાવવામાં આવ્યા નથી. પોલીસ અને પ્રશાસનને કાર્યવાહી માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે કેસને દબાવવામાં આવી રહ્યો છે. તેણે આરોપ લગાવતા કહ્યું કે, મહત્ત્વપૂર્ણ સાક્ષીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે અને અમારા પક્ષમાં કશું જ જઈ રહ્યું નથી. ઉલ્લેખનીય છે કે સિદ્ધુ મૂસેવાલા ગયા વર્ષે 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp