પતિ જેલમાં, દેવરે ભાભી સાથે લગ્ન કરી જમીન પચાવી લીધી

બરેલીના મીરગંજ પોલીસ સ્ટેશન ક્ષેત્રના ગામ ગોરાલોકનાથપુરમાં અજીબ મામલો સામે આવ્યો છે. એક યુવક 19 વર્ષ બાદ જેલમાંથી છૂટીને સોમવારે પોતાના ઘરે પાછો આવ્યો તો તેની પત્ની તેના નાના ભાઈની સાથે તેની પત્ની તરીકે રહેતી મળી. તેને કારણે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થઈ ગયો. પોલીસે એક ભાઈનું શાંતિભંગમાં ચલણ કરી દીધુ. ગોરાલોકનાથપુરના ચંદ્રપ્રકાશના લગ્ન વર્ષ 2002માં સરોજ નામની યુવતી સાથે થયા હતા. એક વર્ષ બાદ ગૌના (વિદાઈ) થઈ. ત્યારબાદ દંપતિ એક વર્ષ સુધી સાથે રહ્યું.

8 ઓગસ્ટ, 2004ના રોજ ચંદ્રપ્રકાશને દુષ્કર્મ અને હત્યાના મામલામાં જેલમાં મોકલી આપવામાં આવ્યો. વર્ષ 2006માં તેને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી. એ જ સમયે તેની પત્ની પોતાના પિયર પાછી ચાલી ગઈ. તેને ખબર હતી કે તેનો પતિ હવે આખુ જીવન જેલમાં જ રહેશે. તેને કોઈ સંતાન પણ ન હતું. દરમિયાન, ચંદ્રપ્રકાશના નાના ભાઈ દેવપ્રકાશ સાથે તેની પત્ની સરોજ સાથેના સંબંધો વધુ ગાઢ બન્યા. તે બંને બાદમાં પતિ-પત્નીની જેમ સાથે રહેવા માંડ્યા. બંનેના પાંચ બાળકો પણ થયા.

સંયોગથી 25 જૂન, 2023ના રોજ કોર્ટે ચંદ્રપ્રકાશને જામીન આપી દીધા. તે ઘરે આવ્યો તો તેની પત્ની નાના ભાઈ સાથે પત્નીની જેમ રહેતી હતી. ચંદ્રપ્રકાશે આરોપ લગાવ્યો કે, તેની પત્ની અને નાના ભાઈએ મળીને તેની જમીન પર કબ્જો કરી લીધો. જમીન પાછી માંગવા પર તેમણે સ્પષ્ટ શબ્દોમાં ના કહી દીધી. તેના પર ચંદ્રપ્રકાશે પોલીસ સ્ટેશનમાં જઈ આ બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

પોલીસે દેવપ્રકાશ અને સરોજને આ મામલાને લઇને પોલીસ સ્ટેશન બોલાવ્યા તો બંનેએ જમીન પરથી કબ્જો હટાવવાની ના પાડી દીધી અને કબ્જો ના છોડવાની વાત પર અડી ગયા અને ઝઘડો કરવા માંડ્યા. આથી, પોલીસે દેવપ્રકાશને જેલમાં બંધ કરી દીધો. ત્યારબાદ, કેટલાક લોકો પહોંચ્યા અને બંને પક્ષોને સમજાવીને બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવી દીધુ. દેવપ્રકાશ અને સરોજ જમીન પરથી કબ્જો છોડવા માટે તૈયાર થઈ ગયા. પંચાયતે પત્ની પર અધિકાર દેવપ્રકાશને જ આપ્યો.

બીજી તરફ, પોલીસે શાંતિભંગની આશંકામાં દેવપ્રકાશનું ચલણ કરી દીધુ. મીરગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક હરેન્દ્ર સિંહે જણાવ્યું કે, તેમની વચ્ચે સમાધાન થઈ ગયુ છે. બંને ફરીથી ઝઘડો ના કરે તે માટે ચલણ કરી પાબંદ કરી દેવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.