ચંડી મંદિરમાં યુવકે નમાઝ પઢી, મંદિરને ગંગાજળથી શુદ્ધ કર્યું, પોલીસ ફોર્સ તૈનાત

PC: aajtak.in

શુક્રવારે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ UPના હાપુડ જિલ્લાના ચંડી રોડ પર સ્થિત ચંડી મંદિરમાં અન્ય ધર્મનો યુવક ઘુસ્યો અને મંદિર પરિસરમાં જમીન પર બેસીને નમાઝ પઢવા લાગ્યો. જ્યારે ભક્તોએ યુવકને મંદિરની અંદર નમાઝ અદા કરતા જોયો તો તેઓએ વિરોધ કર્યો અને હંગામો મચાવ્યો. જો કે, ત્યાર પછી મંદિરના આંગણાને ગંગાજળથી ધોઈ નાખ્યું હતું. જ્યારે હિંદુ સંગઠનોને મંદિરની અંદર નમાઝ પઢવામાં આવી રહી હોવાની જાણ થઈ તો તેઓએ તેનો વિરોધ પણ કર્યો અને આરોપીની ધરપકડની માંગ કરી. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ આ અંગે તપાસ હાથ ધરી હતી. લોકોના ભારી ગુસ્સાને જોતા મંદિર પરિસરની આસપાસ મોટી માત્રામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.

 

મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે લગભગ 5 વાગે હાપુડના ચંડી રોડ સ્થિત ચંડી મંદિરમાં એક વ્યક્તિ શંકાસ્પદ રીતે મંદિરમાં ઘુસ્યો અને પરિસરમાં જમીન પર બેસીને નમાઝ પઢવા લાગ્યો. મહિલા શ્રદ્ધાળુઓએ આરોપ લગાવ્યો કે, આ વ્યક્તિએ કથિત રીતે જમીન પર નમાજ અદા કરી હતી. ત્યાર પછી જ્યારે મંદિરમાં કેટલાક વધુ ભક્તો પહોંચી ગયા તો તેઓએ તે વ્યક્તિને મંદિરની બહાર કાઢી મુક્યો હતો. ઘટનાની માહિતી મળતા જ સિટી કોટવાલ સંજય પાંડે મંદિરે પહોંચી પૂજારી અને અન્ય લોકોની પૂછપરછ કરી હતી અને ત્યાં લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી હતી.

 

બીજી તરફ માહિતી મળતાં જ SP અભિષેક વર્મા, ASP મુકેશ મિશ્રા સહિતનું ભારે પોલીસ દળ મંદિરે પહોંચી ગયું હતું અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મંદિર પ્રબંધન સમિતિના નવનીત અગ્રવાલ કાલીવાલેએ જણાવ્યું કે, મંદિર પરિસરમાં નમાઝ અદા કરવામાં આવી છે. FIR નોંધવવામાં આવી રહી છે. BJP સહિત હિન્દુ સંગઠનોના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી કાર્યવાહીની માંગ કરી હતી. BJPના શહેર પ્રમુખ વિનીત દિવાનનું કહેવું છે કે, શુક્રવારે વહેલી સવારે મંદિરના પરિસરમાં નમાજ પઢવામાં આવી હતી. આ બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. આરોપીને સજા થવી જોઈએ. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ સુધીર અગ્રવાલ ચોટી, વિવેક ગર્ગ, અરુણ અગ્રવાલ, રવિન્દ્ર રવિન્દ્ર પોપટ, ઋત્વિક ત્યાગી, શુભમ ગોયલ, મનોજ વગેરેએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

માહિતી આપતા જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રેરણા શર્માએ કહ્યું છે કે, નમાઝ અદા કરવાનો મામલો ધ્યાન પર આવ્યો છે. મંદિર સમિતિના લોકો અને સ્થાનિક લોકો સાથે વાત કરી. લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે અને CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. CO અશોક સિસોદિયાએ જણાવ્યું કે, પોલીસ CCTV કેમેરાની તપાસ કરી રહી છે. આ મામલે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp