નરોડા હત્યા કાંડઃ માયા કોડનાની-બાબુ બજરંગી સહિત તમામ 69 આરોપીઓ નિર્દોષ જાહેર

અમદાવાદની સ્પેશિયલ કોર્ટે  ગુજરાત રમખાણો સાથે જોડાયેલા નરોડા ગામ હત્યાકાંડ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે.. 21 વર્ષની લાંબી રાહ જોયા બાદ કોર્ટે ગુરુવારે સાંજે આ ચુકાદો આપ્યો છે. કોર્ટના ચુકાદા પહેલા તમામ આરોપીઓને કડક સુરક્ષા હેઠળ રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોર્ટમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. માત્ર વકીલો અને કેસ સાથે જોડાયેલા લોકોને જ એન્ટ્રી આપવામાં આવી હતી. 2002માં નરોડા ગામમાં હિંસામાં એક સમુદાયના 11 લોકોનો મોત થયા હતા. એ પછી ગુજરાતના પૂર્વ મંત્રી માયા કોડનાની, બાબુ બજરંગી   સહિત 86 લોકો સામે ગુનો દાખલ થયો હતો. 13 વર્ષ લાંબી ચાલેલી આ ટ્રાયલમાં કેસમાં સામેલ 18 લોકોના મોત થયા હતા. વિશેષ અદાલતે ગુરુવારે તમામ 69 આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા હતા. કોર્ટમાંથી નિર્દોષ છુટ્યા પછી બહાર આવેલા લોકોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા.

આ મામલાની સુનાવણી 16 એપ્રિલે પૂરી થઈ હતી. આ દરમિયાન પીડિત પક્ષ તરફથી ગુનેગારોને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી. આ પછી સ્પેશિયલ કોર્ટના પ્રિન્સિપલ સેશન્સ જજ એસ કે બક્ષીએ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને 20 એપ્રિલની તારીખ નક્કી કરી હતી. બે દાયકાથી વધુ સમય સુધી ચાલેલા ટ્રાયલમાં ફરિયાદ પક્ષે 182 સાક્ષીઓ રજૂ કર્યા હતા. રમખાણો અને હત્યા ઉપરાંત, 67 વર્ષના માયા કોડનાની પર નરોડા ગામ કેસમાં ગુનાહિત કાવતરું અને હત્યાના પ્રયાસનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ સપ્ટેમ્બર 2017માં કોડનાનીના બચાવ પક્ષના સાક્ષી તરીકે હાજર થયા હતા.

નરોડા ગામ હત્યા કેસની વાત કરીએ તો તમને ગોધરા કાંડની ઘટના યાદ હશે. 27 ફ્રેબુઆરી 2002ના દિવસે અયોધ્યાથી સાબરમતી ટ્રેનમાંપરત ફરી રહેલા કાર સેવકોને ગોધરા ખાતે પેટ્રોલ નાંખીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. 28 ફ્રેબ્રુઆરીએ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યા હતું અને સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નિકળ્યા હતા. આ તોફાનમાં અમદાવાદના નરોડા ગામમાં 11 લોકોને ઘરમાં અને બહાર જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં પૂર્વ મંત્રી માયા કોડનાની,જયદીપ પટેલ સહિત કુલ 86 લોકો સામે કેસ થયા હતા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.