પાટણમાં યોજાયો અનોખો ડાયરો, જ્યાં પૈસાની સાથે થયો રોટલા-રોટલીનો વરસાદ

તમે ડાયરામાં નોટોનો અને ડૉલર્સનો વરસાદ થતો તો જોયો હશે પરંતુ, શું તમે ક્યારેય ડાયરામાં રોટલા-રોટલીનો વરસાદ થતો જોયો છે? નવાઇ પામવાની જરૂર નથી. ગુજરાતના પાટણમાં આવેલા રોટલિયા હનુમાન દાદાના ભવ્ય મંદિરના પાટોત્સવ નિમિત્તે આયોજિત કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં રોટલા-રોટલીનો વરસાદ થયો હતો. આ અનોખા ડાયરામાં નોટોના વરસાદની સાથે રોટલા-રોટલીનો પણ વરસાદ થયો હતો અને કાર્યક્રમમાં 50 હજાર કરતા પણ વધુ રોટલા-રોટલી ભેગા થયા હતા, જે અબોલ પશુઓ અને ગાયોને ખવડાવવામાં આવશે.

આપણે દેશ-દુનિયાના ઘણા મંદિરોમાં સોનુ-ચાંદી, આભૂષણો અને પૈસા ચડતા જોયા છે. તેમજ, ભગવાનને પ્રસાદ તરીકે લાડુ, પેંડા, શ્રીફળ, જાતજાતની મિઠાઈઓ ધરાવાતી જોઈ છે. પરંતુ, પાટણ શહેરના હાંસાપુર મલ્હાર લિંક રોડ પર આવેલું હનુમાનજીનું એકમાત્ર એવુ મંદિર છે જ્યાં ભગવાનને પ્રસાદ તરીકે માત્ર રોટલા અને રોટલી જ ધરાવવામાં આવે છે. આ રોટલિયા હનુમાન દાદાના મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્યરીતે લોકડાયરાના કાર્યક્રમમાં ટિકિટ કે પાસ રાખવામાં આવે છે, પરંતુ આ અનોખા ડાયરામાં એન્ટ્રી માટે ઘરેથી રોટલા કે રોટલી લઇને આવવાનું કહેવાયુ હતું. જે ભક્તો ઘરેથી રોટલા કે રોટલી લઇને નહોતા આવ્યા તેમને માટે ત્યાં તેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેઓ મંદિરમાંથી પૈસા આપીને રોટલી લઈ શકતા હતા.

આ ડાયરામાં નોટોની સાથે ભક્તોએ રોટલા-રોટલીનો પણ જાણે વરસાદ કરી દીધો હતો. ડાયરામાં ભક્તોએ 10 લાખ રૂપિયા કરતા વધુની રકમ દાન કરી હતી જ્યારે 50 હજાર કરતા વધુ રોટલા-રોટલી ભેગા કર્યા હતા. આ રોટલા-રોટલી મુંગા પશુઓ, ગાયો અને શ્વાનોને ખવડાવવામાં આવશે.

આ અનોખા લોકડાયરા અંગે ત્યાં હાજર કીર્તિદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આપણી પરંપરા મુજબ જીવદયા માટે હરહંમેશ લોકો આગળ આવે છે અને દાનની સરવાણી કરે છે. ત્યારે પાટણ ખાતે આવેલા રોટલિયા હનુમાન મંદિરમાં ફૂલ કે આભૂષણને બદલે રોટલા કે રોટલી ચઢાવવામાં આવે છે. તે પ્રસાદીનો જીવદયા માટે ઉપયોગ કરવામાં આવે છે. મેં અનેક ડાયરાઓ કર્યા, જેમા રૂપિયાનો વરસાદ થાય છે. પણ, આ લોકડાયરામાં રૂપિયાના વરસાદની સાથે રોટલા અને રોટલીના લોકોએ ઢગેઢગ ખડકી દીધા. જે જીવદયાનું કામ કર્યું છે, તો હું અપીલ કરું છું કે જ્યારે પણ રોટલિયા હનુમાન મંદિર જાવ તો રોટલા કે રોટલી લઇને જજો.

પાટણ ખાતે આવેલા રોટલિયા હનુમાન દાદાની મૂર્તિ સ્પેશિયલ અંબાજીના કલાકારો પાસે તૈયાર કરાવવામાં આવી છે. 8.5 ફૂટ ઊંચી આ પ્રતિમા માર્ગ પરથી જ દર્શનાથીઓ જોઈ શકે તેની અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવતા રોટલા-રોટલી દ્વારા અબોલ પશુઓનો પેટનો ખાડો પૂરવામાં આવે છે. લોકો અહીં આવી ભગવાન પાસે શ્રદ્ધા અને શક્તિ અનુસાર રોટલા કે રોટલી ચઢાવવાની બાધા લે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.