ગુજરાતના આ ગામના તળાવમાં હજારો માછલીઓના મોતથી ખળભળાટ

ઉત્તર ગુજરાતમાં આવેલા એક ગામના તળાવમાં સેંકડો માછલીઓના મોત થવાને કારણે ચકચાર મચી જવા પામી છે. જો કે માછલીઓનું મોત શેને કારણે થયું છે તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી. પરંતુ  બે મહિના પહેલા આ જ જિલ્લાના અન્ય એક ગામના તળાવમાં પણ માછલીઓના મોટી સંખ્યામાં મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. આ પહેલાં પણ ગુજરાતના તળાવો પાસે માછલીઓના મોતની ઘટના સામે આવતી રહી છે. કેટલીક વખત પાણીમાં કેમીકલ ભળવાને કારણે માછલીઓના મોત થતા હોવાની વાત સામે આવતી રહી છે.

ઉત્તર ગુજરાતના કડી તાલુકામાં આવેલી પીરોજપુર ગામના તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓનાં મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. માછલીઓનાં મોતના સમાચાર સામે આવતા ગામના લોકો તળાવ પાસે એકઠાં થયા હતા અને સરપંચ અને તલાટીને જાણ કરવામાં આવી હતી. એપ્રિલ મહિનામાં કડી તાલુકાના બોરીસણા ગામે પણ બે તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓનાં મોતની ઘટના સામે આવી હતી.

પિરોજપુર ગામના લોકોએ કહ્યુ હતું કે, કડીમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદ પડ્યો હતો અને અનેક નાની મોટી ઘટનાઓ બની હતી. ગામના લોકો જ્યારે તળાવ પાસે પહોંચ્યા ત્યારે અસંખ્ય માછલીઓને તરતી જોઇને ગામના લોકો ચોંકી ઉઠ્યા હતા. ગામના સરપંચ મહેન્દ્ર ભાઇ, તલાટી અને આરોગ્ય વિભાગને માછલીઓનાં મોત વિશે જાણકારી આપવામાં આવી છે.

ગામના લોકોએ જાણ કરી ત્યારે તલાટી અને સરપંચ તળાવ પાસે દોડી આવ્યા હતા અને મૃતક માછલીઓને બહાર કાઢીને નજીક ખાડામાં દાટી દેવામાં આવી હતી. જો કે કયા કારણોસર માછલીઓનાં મોત થયા છે, તેની જાણકારી મળી શકી નથી.

પીરોજપુર ગામના સરપંચ મહેન્દ્રભાઇએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ વિસ્તારમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને વરસાદી પાણીમાં કેમિકલ યુક્ત પાણી અમારા ગામના તળાવમાં આવ્યું હોવાથી માછલીઓનાં મોત થયા હોવાની શંકા છે. તળાવની બાજુમાં જ એક મોટો ખાડો ખોદીન માછલીઓને દાટી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગનો સ્ટાફ પણ તળાવ પર આવી પહોંચ્યો હતો અને જરૂરી દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ગામના તલાટીએ પત્ર લખીને કડી તાલુકા પંચાયતના ટીડીઓને માહિતગાર કર્યા છે.

આ અગાઉ લગભગ પાંચેક વર્ષ પહેલાં ભરૂચના માતરમાં પણ મોટી સંખ્યામાં માછલીઓનાં મોતની ઘટના સામે આવી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.