ગણિતના શિક્ષકે બનાવી સોલર કાર, આનંદ મહિન્દ્રાએ કર્યા વખાણ

આનંદ મહિન્દ્રા ટ્વિટર પર ઘણા એક્ટિવ રહે છે. રોજ તે કંઈક ને કંઈક એવું પોસ્ટ કરે છે, જે વાયરલ થઈ જાય છે. હવે તેમનું એક હાલનું ટ્વીટ ચર્ચામાં છે. આ ટ્વીટમાં તેમણે એક ગણિત શિક્ષક દ્વારા બનાવવામાં આવેલી સોલર કારનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. શ્રીનગરના રહેનારા ગણિતના શિક્ષક બિલાલ અહમદે એકલા જ સૌર ઉર્જાથી ચાલનારી કાર બનાવી છે. તેનું આ નવું ઈનોવેશન ઈલેક્ટ્રોનિક કાર માર્કેટ અને પરિવહનના ગ્રીન મોડમાં એક આગળનું પગલું છે.

વીડિયોમાં બિલાલને પોતાની કાર ડ્રાઈવ કરતો જોવામાં આવ્યો છે. કારના દરવાજા, બારીઓ, બોનેટ અને ડિક્કી પર સોલાર પેનલ લાગેલી જોઈ શકાય છે. જેના પછી બિલાલ આ કારની ખૂબીઓને બતાવતા જોવા મળે છે. મહિન્દ્રાના હેડ અને પદ્મ પુરસ્કારથી સન્માનિત આનંદ મહિન્દ્રાએ બિલાલની હિંમતના વખાણ કર્યા છે.

તેમણે કહ્યું હતું કે બિલાલના એકલા આ પ્રોટોટાઈપને વિકસિત કરવા અંગે હું તેનું સન્માન કરું છું. આ ડિઝાઈનને અમલમાં લાવવાની જરૂર છે અને આવી રીતે કારનું ઉત્પાદન થવું જોઈએ. તેમણે પોતાના ટ્વીટમાં આગળ કહ્યું છે કે કદાચ મહિન્દ્રા રિસર્ચ વેલીમાં હાલની અમારી ટીમ આ પ્રોટોટાઈપને વધારે વિકસિત કરવા માટે બિલાલની સાથે કામ કરી શકે છે. તેની આ ટ્વીટ પર ટ્વિટર યુઝર્સ ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા બિલાલની હિંમતના વખાણ કરી રહ્યા છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન ટ્વિટર પર ઘણા એક્ટિવ રહે છે અને રોજ કંઈ ને કંઈક પ્રેરણાત્મક અથવા હાસ્યાત્મક પોસ્ટ શેર કરે છે. જે તેમના ફોલોઅર્સને ઘણી પસંદ આવતી હોય છે. ટ્વિટર પર તેમના 94 લાખથી વધારે ફોલોઅર્સ છે અને તેમના દ્વારા કરવામાં આવેલી પોસ્ટ ઘણી જલદીથી વાયરલ થઈ જાય છે. આનંદ મહિન્દ્રા પોતાના ટ્વિટર અકાઉન્ટ પર મોટિવેશનલ કન્ટેન્ટ પોસ્ટ કરવા માટે પણ જાણીતા છે. તેઓ આવું અલગ વિચારતા લોકોને પોતાની કંપની તરફથી પણ ઘણી વખત કાર ભેટમાં આપી હોય તેવું જાણવા મળ્યું છે અથવા તો કંઈક અલગ કરતા લોકોના વખાણ કરી તેમને મોટીવેશન પૂરુ પાડતા અચકાતા નથી.  

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.