એક ઘરમાંથી મળ્યો 8 આંખ વાળો દુધિયા રંગનો કરોળીયો, ફોટો વાયરલ

એક તરફ દુનિયામાંથી જંગલનો નાશ થઈ રહ્યો છે. જેના કારણે અનેક જીવ સામે રહેવા માટેનું જોખમ ઊભું થયું છે. દિવસે દિવસે કીટક અને કેટલાક સુક્ષ્મ જીવની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. બીજી તરફ એક એવો કરોળીયો મળી આવ્યો છે જેને જોઈને અનેક નિષ્ણાંતો ચોંકી ઊઠ્યા હતા. મળી આવેલી પ્રજાતિ પર તેઓ સંશોધન કરી રહ્યા છે. જ્યારે પ્રાણી જગતમાંથી કંઈક અસાધારાણ મળી આવે છે ત્યારે નિષ્ણાંતે એના પર અભ્યાસ કરવા લાગી જાય છે. ઓસ્ટ્રેલિયાની રહેવાસી એક મહિલાએ પોતાના ઘરના બેકયાર્ડમાં કરોળીયાની એક નવી પ્રજાતિની શોધ કરી છે. રિપોર્ટ અનુસાર અમાંડા ડી જોર્જે 18 મહિના પહેલા આઠ આંખ વાળો કરોળીયો જોયો હતો. જે હવે ફરીથી જોવા મળ્યો છે. મહિલાએ આ કરોળીયાને પકડીને નિષ્ણાંતને સોંપી દીધો છે. ન્યુ સાઉથ વેલ્સના થિરોઉલની રહેવાસી ડી જોર્જ એક પ્રકૃતિ પ્રેમી છે.

 

I've mentioned before that I try not to feed the wildlife, mostly because I think it leads to them getting used to...

Posted by Backyard Zoology on Saturday, 4 May 2019

તેને એ વાતનો બિલકુલ અંદાજ ન હતો કે, દોઢ વર્ષ પહેલા કરોળીયાની જે પ્રજાતિ મળી હતી એ બિલકુલ નવી છે. દુનિયા ચહેરા વાળો કરોળીયો આઠ આંખ ધરાવે છે. મહિલાએ આ કરોળીયો પકડી પાડ્યો અને એનો ફોટો ફેસબુક પર પોસ્ટ કરી દીધો હતો. પોતાના ફેસબુક પેજ બેકયાર્ડ ઝુલોજી પર આ ફોટો પોસ્ટ કર્યો હતો. આ કરોળીયાનો ફોટો શેર કરતા લખ્યું હતું કે, એક સારા વ્યક્તિ તરીકે રિસાયકલિંગ કરી રહી હતી. એ સમયે આ ખૂબ જ મસ્ત એ કરોળીયો જોવા મળ્યો હતો. પોતાની પોસ્ટમાં તેણે કરોળીયાની આઠ આંખનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. આ ફોટા ફેસબુક પર પોસ્ટ કર્યા બાદ બીજા બધા સોશિયલ મીડિયામાં શેર થયા હતા. ફેસબુક પર પોસ્ટ કર્યા બાદ કરોળીયા પર અભ્યાસ કરતા નિષ્ણાંત સ્કૂબર્ટનું ઘ્યાન એના પર ગયું હતું. મહિનાની મહેનત બાદ કરોળીયાને શોધીને પકડવામાં આવ્યો હતો.

એક ખાલી કંટેનરમાં કેદ કરીને બંધ કરી દીધો હતો. એની સાથે મળેલા બીજા કરોળીયાને પણ પકડીને પૂરી દેવામાં આવ્યો હતો. દુધિયા આંખ વાળો કરોળીયો બીજા કરોળીયાને ખાય જાય છે. જેના કારણે બંનેને અલગ અલગ રાખવા પડે છે. જેથી બંને પ્રજાતિનો અલગથી અભ્યાસ કરી શકાય.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.