કોર્ટમાં કરવામાં આવી હતી ગુનેગાર પિતાની હત્યા, UPPSC પાસ કરીને દીકરી બની DSP

ઉત્તર પ્રદેશના મુરાદાબાદની આયુષી સિંહે પણ ઉત્તર પ્રદેશ લોક સેવા આયોગ (UPPSC)ની પરીક્ષા પાસ કરી છે. સફળતા પર આખો પરિવાર ખુશ છે. પરંતુ, પિતાની હત્યાનું દુઃખ હજુ પણ આયુષીને થઈ રહ્યું છે. પિતાના મર્ડરર ફરાર છે. પિતાની હત્યાના સમયે જ મનમાં અધિકારી બનવાનું જે સપનું પોતાની આંખોમાં પાળ્યું હતું, આયુષી સિંહે તેને પૂરું કરી બતાવ્યું. મુરાદાબાદના ડિલારીના પૂર્વ બ્લોક પ્રમુખ યોગેન્દ્ર સિંહ ઉર્ફ ભૂરાના પરિવારની ઓળખ આયુષીએ બદલી નાંખી છે. યોગેન્દ્ર સિંહ ભૂરા પર હત્યા સહિત ઘણા કેસ દાખલ હતા. પરંતુ, હવે આ પરિવારની ઓળખ DSP આયુષી સિંહના પરિવારથી થશે.

આયુષી સિંહ UPPSC પરીક્ષા પાસ કરીને DSP બની ગઈ છે. આ ઉપલબ્ધિને પોતાના પિતાનું સપનું બતાવી રહી છે. તેનું કહેવુ છે કે, પિતા તેને અધિકારી બનાવવા માંગતા હતા. આયુષીની મા પૂનમ હાલ ડિલારીની બ્લોક પ્રમુખ છે. ભૂરા હત્યા સહિત ઘણી ઘટનાઓનો આરોપી હતો. વર્ષ 2015માં એક કેસમાં હાજરી માટે જેલમાંથી કોર્ટ લાવવામાં આવેલા ભૂરાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ભૂરાનો એક દીકરો અને એક દીકરી છે. આદિત્ય સિંહ IIT દિલ્હીથી M.Tech નો અભ્યાસ કરી રહ્યો છે. દીકરી આયુષીએ અધિકારી બનવાનું સપનું પૂરું કરવા માટે UPPSC ની પરીક્ષા પાસ કરી દીધી.

ભૂરાનો પરિવાર મૂળ ભોજપુરના માનપુર ગામનો વતની છે. આયુષી દિલ્હીમાં રહે છે. ત્યાં રહીને તેણે UPPSCની તૈયારી કરી. તે કહે છે કે, પિતા મને હંમેશાંથી ઓફિસ બનાવવા માંગતા હતા. મેં તેમનું સપનું પૂરું કરી દીધુ. આયુષીએ કહ્યું કે, પિતાજીએ અમારા લોકોના ભણતર માટે મુરાદાબાદના આશિયાનામાં ઘર બનાવ્યું હતું. તેમની હત્યા બાદ જ મેં અધિકારી બનવાનું નક્કી કરી લીધુ હતું. તેના માટે UPPSCને પસંદ કર્યું.

આયુષી સિંહે મુરાદાબાદની કેસીએમ સ્કૂલમાંથી હાઈસ્કૂલનો અભ્યાસ કર્યો છે. અહીંથી તેણે 12માં ધોરણની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ દિલ્હી ગઈ. દિલ્હી યુનિવર્સિટીમાંથી તેણે વર્ષ 2019માં સ્નાતકની પરીક્ષા પાસ કરી. વર્ષ 2021માં તેણે પોલિટિકલ સાયન્સમાં એમએ કર્યું. નેટની પરીક્ષામાં બેઠી અને ત્યાં પણ સફળતા મેળવી. છેલ્લાં બે વર્ષથી તે UPPSCની તૈયારી કરી રહી હતી. આખરે તેણે આ પરીક્ષામાં પણ સફળતા મેળવી. આયુષીએ પોતાની મા પૂનમને ફોન કરીને રિઝલ્ટ વિશે જાણકારી આપી. મમ્મીને જણાવ્યું કે, તે DSP બની ગઈ છે. મમ્મીએ કહ્યું, તે પોતાના પિતાનું સપનું પૂરું કરી દીધુ. દીકરીને એટલા માટે ધન્યવાદ આપતા ભાવુક પણ થઈ. આયુષી જણાવે છે કે, મારા રિઝલ્ટની ખુશીથી વધુ એ ક્ષણ મારા માટે ખાસ બની ગઇ, જ્યારે મમ્મીએ મને આ વાત કહી. મારા ઓફિસર બનવાની ખુશી હજાર ગણી વધી ગઈ. તે કહે છે કે, અમે બે ભાઈ-બહેન છીએ. મારી સફળતાની પાછળ અમારા પરિવારનો ખૂબ જ મોટો સહયોગ છે.

યોગેન્દ્ર સિંહ ઉર્ફ ભૂરાની હત્યા મુરાદાબાદના કોર્ટ પરિસરમાં જ કરી દેવામાં આવી હતી. આરોપી સુમિતે 23 ફેબ્રુઆરી, 2015ના રોજ ભૂરાને ગોળી મારી હતી. કોર્ટમાં હાજરી માટે આવેલા ભૂરાને સુમિત પહેલા પગે લાગ્યો. ત્યારબાદ ગોળી મારીને હત્યા કરી દીધી. ઘટના બાદ વકીલોએ સુમિતના બે સાથિઓને પકડી લીધા હતા. તે સમયે સુમિત ભાગવામાં સફળ રહ્યો. જોકે, બાદમાં પોલીસે તેને પકડી લીધો. પરંતુ, કોર્ટમાં હાજરી દરમિયાન લાવવામાં આવેલો સુમિત ફરી એકવાર પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો.

પોલીસે સુમિત પર એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. ભૂરા પર ઘણા મામલા દાખલ હતા. તેના પર પોતાના ભત્રીજા રિંકૂ સિંહની હત્યાનો પણ આરોપ હતો. ભૂરાની જ્યારે 2015માં હત્યા થઈ હતી, તે સમયે આયુષી 11માં ધોરણમાં અભ્યાસ કરી રહી હતી.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.