દેવી-દેવતાઓના મંદિર મોટે ભાગે પર્વત પર જ કેમ હોય છે

તમે ઘણા તીર્થસ્થાનો પર ફરવા ગયા હશો ત્યારે તમને એક વાત નોટીસ કરી હશે કે, મોટાભાગના પ્રસિદ્ધ દેવસ્થાનો પર્વતની ટોચ પર આવેલા હોય છે, પરંતુ શું તમને ખબર છે કે, શા માટે દેવી-દેવતાઓના સ્થાન પર્વતની ટોચ પર આવેલા હોય છે. જો તમને આ બાબતે ન ખબર હોય તો આજે તમને અમે એ જણાવીશું કે, દેવી દેવતાઓનાં મંદિર શા માટે વધારે પર્વતોની ટોચ પર હોય છે. એવું કહેવાય છે કે, પર્વતો પર દેવી-દેવતાની વિશેષ ઉર્જા અને કૃપા હોય છે અને જેના કારણે જ પર્વતો પર રહેતી ઊર્જા હકારાત્મક જોવા મળે છે અને આ કારણે જ અહીં મંદિરોની સ્થાપના કરવામાં આવે છે. પર્વત મંદિરની સ્થાપના માટે જ નહીં પરંતુ સાધના કરવા માટેનું ઉત્તમ સ્થળ કહી શકાય.

પર્વતો પર કુદરતી ઉર્જા હોય છે.

ઘણા પર્વતો પિરામિડના આકાર જેવા હોય છે. જેના કારણે ત્યા ઉર્જાનો પ્રવાહ ખૂબ જ વધારે જોવા મળે છે અને કુદરતી ઉર્જા વધારે હોવાના કારણે તે સ્થળો પર સાધના સિદ્ધ થાય છે, તેથી પર્વત પર મંદિરો બનાવવામાં આવે છે. ઘણા લોકો પર્વત પર જઈને સાધના પણ કરતા હોય છે.

પર્વત પર ઘોંઘાટ નથી હોતો

ધાર્મિક સ્થળો હંમેશા પૂજા અને સાધના કરવા માટે વધારે ઉપયોગમાં આવતા હોય છે. લોકો ધાર્મિક સ્થળોએ શાંતિનો અનુભવ કરવા માટે જતા હોય છે. પર્વત ઉપર ઘણી શાંતિ હોય છે અને કુદરતી વાતાવરણ વચ્ચે લોકોના મનને પણ થોડી શાંતિ મળે છે.

પહાડો પર સિદ્ધિઓનો વાસ હોય છે

એવું કહેવામાં આવે છે કે, ઊંચા પહાડો પર અનેક સિદ્ધિઓ વાસ કરે છે. ઘણા લોકો તેમની તપસ્યા કરવા માટે ઊંચા પર્વતો પર જાય છે અને તેનું એક ઉદાહરણ કેદારનાથ લઈ શકાય કારણ કે, કેદારનાથ સંપૂર્ણ રીતે સિદ્ધ સ્થળ છે અને જ્યાં નર-નારાયણે પણ તપસ્યા કરી હતી. આજે તે જ સ્થળ પર મંદિરની સ્થાપના કરવામાં આવી છે.

લાંબી સાધના કરવા માટે પણ અનુકૂળ આવે છે

પહાડ પર પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળે છે. આ ઉપરાંત માનવ વિસ્તારથી દૂર આવેલા પહાડોમાં અદભુત શાંતિનો અનુભવ થાય છે અને ત્યાં સ્વચ્છતા પણ જોવા મળે છે. તેથી કુદરતના ખોળે શાંતિમાં રહી અને સ્વચ્છ જગ્યા પર ભગવાનની આરાધના પણ ખૂબ સારી રીતે થાય છે અને આવી જગ્યા પર લાંબી સાધનાઓ કરી શકાય છે.

દૈવીય કારણ

એવું કહેવામાં આવે છે કે, પહાડો પર દેવી દેવતાઓનું ભ્રમણ વધારે હોય છે અને જેના ઉદાહરણ અનેક ધાર્મિક શાસ્ત્રોમાં છે. પહાડોમાં દેવી-દેવતાઓનો આંશિક વાસ હોવાનું પણ કહેવામાં આવે છે. તેથી દેવસ્થાન મોટાભાગે પહાડોમાં જોવા મળે છે.

સ્વાસ્થ્ય કારક

પહાડની આસપાસનું વાતાવરણ કુદરતી હોય છે અને પહાડ પર વૃક્ષોનું પ્રમાણ પણ ખૂબ જ વધારે હોય છે. તેથી આવી જગ્યા પર મંદિરની સ્થાપના કરવાથી લોકોને શાંતિનો અનુભવ થાય છે અને સ્વચ્છ વાતાવરણમાં રહેવાને કારણે તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.