હવે મૃત વ્યક્તિના શરીરમાંથી બનશે ખાતર, આ દેશે શરૂ કરી અનોખી પરંપરા

આખી દુનિયામાં અંતિમ સંસ્કારની ઘણી બધી પ્રથાઓ પ્રચલિત છે. ક્યાંક, અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, તો ક્યાંક શવને કોફીનમાં મુકીને જમીનમાં દાટી દેવામાં આવે છે, તો વળી ક્યાંક શવને અન્ય જીવોના ભોજન માટે લટકાવી દેવામાં આવે છે. હવે ધીમે-ધીમે લોકો પ્રકૃતિ તરફ વળી રહ્યા છે અને મર્યા બાદ પણ પ્રકૃતિને નુકસાન ન થાય અને તેને ઉપયોગી બની શકાય તે માટે ઈકો ફ્રેન્ડલી અંતિમ સંસ્કાર કરવાનું ચલણ વધ્યું છે. અમેરિકાનું ન્યૂયોર્ક શહેર ઈકો ફ્રેન્ડલી અંતિમ સંસ્કાર એટલે કે હ્યુમન કમ્પોસ્ટિંગને અપનાવનારું છઠ્ઠું રાજ્ય બની ચુક્યુ છે.

દુનિયાએ જરૂરિયાત અનુસાર ઘણીવાર પોતાની પરંપરાઓમાં બદલાવ કર્યો છે. હાલના દિવસોમાં એક આવો જ બદલાવ અમેરિકામાં જોવા મળી રહ્યો છે. અહીં અંતિમ સંસ્કાર સાથે સંકળાયેલી પરંપરાને લઈને એક મોટું પરિવર્તન લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. અમેરિકામાં અંતિમ સંસ્કારને ઈકો ફ્રેન્ડલી બનાવાની પહેલ શરૂ કરવામાં આવુ ચુકી છે એટલે કે મર્યા બાદ માણસના શવોમાંથી નેચરલ ઓર્ગેનિક રિડક્શન પ્રક્રિયા અંતર્ગત ખાતર બનાવવામાં આવશે. આ પ્રોસેસમાં આશરે 30 દિવસનો સમય લાગશે.

ઈકો ફ્રેન્ડલી અંતિમ સંસ્કાર એક એવી પ્રોસેસ છે જેમા માણસોના મૃત શરીરનો ખાતર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવશે. ખાતર બનાવવાની આ પ્રક્રિયાને હ્યુમન કમ્પોસ્ટિંગના નામથી ઓળખવામાં આવે છે. વોશિંગ્ટન વર્ષ 2019માં હ્યુમન કમ્પોસ્ટિંગને અપનાવનારું અમેરિકાનું પહેલું રાજ્ય બની ગયુ હતું. અમેરિકામાં અત્યારસુધી 6 રાજ્ય અંતિમ સંસ્કારની આ પ્રક્રિયા અપનાવી ચુક્યા છે જેમા વોશિંગ્ટન ઉપરાંત કેલિફોર્નિયા, કોલોરાડો, ઓરેગન, વર્મોંટ અને ન્યૂયોર્ક સામેલ છે. અમેરિકામાં હ્યુમન કમ્પોસ્ટિંગ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા પર્યાવરણ માટે ખૂબ જ લાભદાયક છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તિબેટ અને મોંગોલિયાની કેટલીક પ્રજાતિઓ ખૂબ જ પહેલાથી જ આ ઈકો ફ્રેન્ડલી અંતિમ સંસ્કારને કરતી આવી રહી છે.

ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલ દ્વારા હ્યુમન કમ્પોસ્ટિંગ કાયદાને પાસ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, કેલિફોર્નિયાના નિવાસીઓ પાસે વર્ષ 2027 સુધી આ વિકલ્પ ઉપલબ્ધ હશે કે તેઓ પારંપરિક રીત અપનાવીને અંતિમ સંસ્કાર કરવા માંગે છે કે પછી ઈકો ફ્રેન્ડલી રીતે અંતિમ સંસ્કાર કરવા માંગે છે. આ પ્રક્રિયાને અંજામ આપનારી કંપની રીકમ્પોઝ એ કહ્યું કે, માટી પરિવારને સોંપતા પહેલા એ ચેક કરવામાં આવે છે કે તેમા કોઈપણ પ્રકારના ખતરનાક પેથોજન્સ ના હોય. તમને જણાવી દઈએ કે, ટીબી જેવી બીમારીઓથી મરનારા લોકો અને રેડિએશન થેરાપી લેનારાઓને આ પ્રક્રિયાથી અલગ રાખવામાં આવશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.