સુખવિંદર કૌર કઈ રીતે બની રાધે મા? જાણો તેની રસપ્રદ કહાની

પોતાને દેવીનો અવતાર ગણાવનારી રાધેમાં આખરે છે કોણ? વિવાદો સાથે તેમનો શો સંબંધ છે? રાધે માંના પરિવારમાં કોણ-કોણ છે? એ દરેક સવાલોના તમને અહીં જવાબ મળશે.

રાધે માં એક સ્વયંભૂ આધ્યાત્મિક ગુરુ છે, જે પોતાને દેવીનો અવતાર ગણાવે છે. તે પોતાના ભક્તોને દેવીના રૂપમાં લાલ રંગના કપડાંમાં મળે છે. તે વધુ બોલતી નથી, તે પોતાના હાથમાં એક ત્રિશૂલ પણ રાખે છે. રાધે માંનું અસલી નામ સુખવિંદર કૌર છે. બાદમાં ધર્મના માર્ગ પર ચાલતા તેમણે પોતાનું નામ બદલીને રાધે માં રાખી લીધુ. રાધે માંનો જન્મ 4 એપ્રિલ, 1965ના રોજ પંજાબના ગુરદાસપુરમાં થયો છે. હાલ તે 55 વર્ષની છે. રિપોર્ટ અનુસાર, તેમણે 9માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. માત્ર 17 વર્ષની ઉંમરમાં જ તેમના લગ્ન મુકેરિયાના મનમોહન સિંહ સાથે થયા હતા. તે મિઠાઈની દુકાન પર કામ કરતા હતા.

રિપોર્ટ્સ અનુસાર, લગ્ન બાદ રાધે માંના પતિ કતારમાં નોકરી કરવા ચાલ્યા ગયા. ત્યારે રાધે માંના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. તે લોકોના કપડાં સીવીને રોજગાર મેળવતા હતા. હાલ રાધે માં પરિવારમાં એકલા છે, પતિ સાથે સંપર્ક નથી, અને તેમને કોઈ સંતાન પણ નથી.

સુખવિંદર કૌરના રાધે મા બનવાના સફરની વાત કરીએ તો, 21 વર્ષની ઉંમરમાં સુખવિંદર કૌર મહંત શ્રી રામદીન દાસના શરણમાં પહોંચી ગઈ. તેમની પાસેથી 6 મહિના સુધી દીક્ષા લીધી. આધ્યાત્મિક દીક્ષા બાદ રામદીપ દાસે જ સુખવિંદરને નવું નામ આપ્યું અને તે રાધે માંના નામથી ઓળખાવા માંડી. રાધે માં સામાન્યરીતે માતાની ચોકી અને જાગરણમાં જાય છે. ભક્તોને દર્શન આપવા માટે તેમનો રેટ કાર્ડ પણ છે. રાધે માંની ચોકીનો ખર્ચો 5 લાખથી 35 લાખ રૂપિયા સુધી હોય છે. ચોકીનું આયોજન અને ડીલિંગ રાધે માંનો એજન્ટ ટલ્લી બાબા કરે છે.

2015માં રાધે માંનો મિનિ સ્કર્ટવાળો એક ફોટો ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે લોકોએ તેમની વિરુદ્ધ કેસ પણ દાખલ કરાવ્યો હતો. મિનિ સ્કર્ટવાળા ફોટો અંગે રાધે માંનું કહેવું છે કે, તે પોતાના ભક્તોની સાથે ટ્રિપ પર હતી અને એક ભક્તે તેમને તે કપડાં આપ્યા હતા અને એવું કોઈએ નથી કીધુ કે સાધુ અને સાધ્વી ખાસ પ્રકારના કપડાં જ પહેરી શકે. જો તેમના ભક્તો ખુશ છે તો તે પણ ખુશ છે.

રાધે માંની મોટી ચોકીઓમાંથી પણ ઘણા આપત્તિજનક ફોટા સામે આવી ચુક્યા છે. તેમાં કોઈ ભક્તને રાધે માં કિસ કરતા, તો કોઈકને ગળે મળતા દેખાઈ ચુક્યા છે. કેટલાક ભક્ત તેમના ખોળામાં સૂતેલા પણ દેખાયા છે. આ અંગે રાધે માંનું કહેવું છે કે, તે પોતાના ભક્તોમાં પ્રેમ વહેંચે છે અને આ રીતે જ પોતાના આશીર્વાદ આપે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.