આ વ્યક્તિએ ખરીદ્યો જૂનો સોફો, નીકળી 30 લાખ રૂપિયા ભરેલી બેગ અને પછી...

એવા ઘણાં ઓછા લોકો હોય છે, જે મહેનત વિના અમીર બની જાય છે. મોટા પ્રમાણમાં આવા મામલાઓમાં વિદેશોમાં લોટરી જીતનારા હોય છે. પણ એક સાથે લાખો રૂપિયા કોઈને મળી આવે તેવું ભાગ્યે જ જોવા મળે છે. પણ આ ઘટના બાદ તમે માની જશો કે વ્યક્તિ આ રીતે પણ અમીર બની જાય છે.

અમેરિકાના મિસીગનમાં હાવર્ડ કર્બી નામના એક વ્યક્તિએ સેકન્ડ હેન્ડ સોફો ખરીદ્યો હતો. આ સોફો તેણે માત્ર અઢી હજારમાં ખરીદ્યો હતો. જેને તે પોતાના ઘરે લઈને આવી ગયો. જ્યારે તે તેના પર બેઠો તો સોફાનું કાઉચ હાર્ડ હતું. થોડા દિવસ તેણે આવું ચલાવી લીધું પણ ત્યાર બાદ પરેશાન થઈને તેણે તેની પત્નીને સોફો બરાબર કરવા માટે કહ્યું. જ્યારે મહિલાએ સોફાને બરાબર કરવા માટે ખોલ્યો તો તે હેરાન થઈ ગઈ.

મહિલાએ જેવો સોફો ખોલ્યો, તો તેમાંથી રોકડ 30 લાખ રૂપિયાનું બોક્સ નીકળ્યું. કર્બીને તે બોક્સમાંથી 43 હજાર ડૉલર કેશ મળી. એટલે ભારતીય રૂપિયાના હિસાબે 30 લાક રૂપિયા મળ્યા.

જ્યારે કર્બીને આ બાબતે જાણ થઈ તો તેને વિશ્વાસ જ ન થયો કે સોફામાં આટલી રોકડ છે. તો તેણે વકીલને ફોન કર્યો. વકીલે તેમણે જણાવ્યું કે તેમને આ રૂપિયા રાખવાનો કાયદાકીય અધિકાર છે. પણ કર્બીએ રૂપિયા રાખવાની ના પાડી દીધી.

તેણે જણાવ્યું, મને આ રીતે કોઈના રૂપિયા આ રીતે રાખવા નથી. માટે કર્બીએ સ્ટોરના માલિકને ફોન કરી સોફાના માલિકની શોધ કરી. સોફાના માલિકે કર્બીને જણાવ્યું કે, આ સોફો તેમના દાદાજીનો હતો. જેમનું 2019માં નિધન થઈ ગયું હતું કર્બીએ સોફાના માલિકને પૂરેપૂરા રૂપિયા પરત કરી દીધા.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.