સનબર્નથી પરેશાન છો? આ 5 ઉપાયો દ્વારા સ્કીન ટેનિંગથી મળશે છૂટકારો

Skin Tanning Removing Tips: ઘણીવાર તમે જોયું હશે કે વધુ ગરમીના કારણે આપણી સ્કિનનો એ ભાગ દાઝી જાય છે જે કપડાથી ઢંકાયેલો રહેતો નથી, ગરમીમાં અથવા સામાન્ય રીતે સમુદ્ર કિનારે ડાયરેક્ટ સૂર્યપ્રકાશને કારણે લોકોને સ્કિન ટેનિંગનો (Skin Tanning) સામનો કરવો પડે છે. જેમાં ત્વચા લાલ અથવા કાળી થઈ જાય છે, પરંતુ ઘણા લોકોને આના કારણે બોડીમાં બળતરાનો પણ સામનો કરવો પડે છે. ત્યારે આવો જાણીએ કે આ સમસ્યાથી કઈ રીતે છુટકારો મેળવી શકાય છે.

સ્કિન ટેનિંગ (Skin Tanning) થવાની સ્થિતિમાં સ્નાન કરતી વખતે ખાસ વ્યવસ્થા કરો. જેના માટે બાથટબમાં શરીરને થોડી વાર સુધી ડુબાવી રાખો. જેને કારણે સનબર્નની (Sunburn) અસર ઓછી થવા લાગે છે. ટબના પાણીમાં ઓટમીલને (Oatmeal) એક કપડાં સાથે બાંધીને મૂકી દો. જેના કારણે ત્વચામાં ફરીથી નિખાર આવી જશે. આ સિવાય ટબમાં કોર્નસ્ટાર્ચ અને બેકિંગ સોડાને પણ એક સાથે મેળવી શકાય છે. જેનાથી ખંજવાળમાં આરામ મળે છે.

એ વાતના આપણે સૌ જાણકાર છે કે એલોવેરા (Aloe Vera) સ્કિન માટે કેટલું ઉપયોગી છે, એ જ કારણ છે કે ઘણા બ્યુટી પ્રોડક્ટ્સમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. સ્કિન ટેનિંગ (Skin Tanning) થવા પર એલોવેરા જેલને પ્રભાવિત ભાગોમાં લગાવો જેનાથી ત્વચાને ઠંડક મળી શકે.

ઓટમીલને (Oatmeal) સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક સમજવામાં આવે છે. તમે તેની સાથે દૂધ અને મધને મિક્ષ કરીને એક પેસ્ટ તૈયાર કરો અને ત્વચાના એ ભાગોમાં લગાવો જ્યાં સનબર્નની (Sunburn) અસર થઇ છે.

બરફને સ્કિન ટેનિંગનો (Skin Tanning) રામબાણ ઈલાજ માનવામાં આવે છે. જેના માટે બરફને આઈસ બેગમાં મૂકી દો અને પછી અસરગ્રસ્ત ભાગમાં લગાવો, જો આઇસ બેગ નહીં હોય તો બરફને કોઈ કપડાં અથવા પ્લાસ્ટિકમાં મૂકીને તેનો ઉપયોગ કરો. જેનાથી ત્વચાની સમસ્યાઓ દૂર થઈ જશે.

નાળિયેરનું તેલ (Coconut Oil) પણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે, જ્યારે સનબર્નના (Sunburn) કારણે ત્વચા બળી જાય તો પહેલા ઠંડા પાણીથી તેને ધોઈ લો અને પછી તેના પર નારિયેળના તેલથી (Coconut Oil) માલિશ કરો.

About The Author

Top News

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.