પાયલટ પુત્રએ પૂરું કર્યું માતાનું સપનું, પોતાના જ વિમાનમાં બેસાડીને લઈ ગયો મક્કા

દરેક માતા-પિતા ઈચ્છે છે કે, તેમનું બાળક જીવનમાં સફળ થાય અને તેમના તમામ સપના પૂરા કરે. પોતાના બાળકોના જીવનને સારું બનાવવા અને તેમને તેમના લક્ષ્યોને પૂરા કરવામાં મદદ કરવા માટે, માતા-પિતા પણ ત્યાગ આપવામાં પાછળ નથી પડતાં. તેમણે આપણા માટે જે કંઈ પણ કર્યું છે, તેના માટે જો આપણે દરરોજ તેનો આભાર પણ માનીએ, તો પણ તે ઓછું કહેવાશે. માતા-પુત્રની જોડીની આવી જ એક હૃદયને સ્પર્શી લેનારી કહાની હાલ સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેણે ઓનલાઈન લોકોનું દિલ જીતી લીધું છે. આ કહાની એક એવી મહિલાની છે જે ઈચ્છતી હતી કે, તેનો નાનો દીકરો મોટો થઈને પાઈલટ બને અને તેને એક દિવસ એરોપ્લેન દ્વારા મક્કા લઈ જાય. ઘણા વર્ષો પછી યુવકે તેની માતાના સપનાને સાકાર કર્યું.

એક ટ્વિટર પોસ્ટમાં યુઝર આમિર રાશિદ વાનીએ પાયલટનો એક ફોટો અને તેની માતા દ્વારા વર્ષો પહેલા લખવામાં આવેલી નોટ શેર કરી હતી. વાનીએ ટ્વીટમાં લખ્યું હતું કે, "મારી માતાએ મને શાળા માટે એક કાર્ડ લખ્યું અને તેને મારી છાતી સાથે લટકાવી દીધું, અને મને કહેતી હતી કે, 'જ્યારે તું પાઈલટ બની જાય, ત્યારે મને તારા વિમાનમાં #Makkah લઈ જજે.' આજે મારી માતા પવિત્ર કાબાના મુસાફરોમાંથી એક છે અને હું વિમાનનો પાઇલટ છું."

પોસ્ટ કરવામાં આવ્યા પછી, ટ્વીટને 20,000થી વધુ લાઈક્સ, 23,000 હજારથી વધુ રીટ્વીટ અને ઘણી ટિપ્પણીઓ મળી છે. સોશિયલ મીડિયા યુઝર્સે પ્રેરક પોસ્ટને લાઈક કરી અને પોતાની માતાના સપનાને પૂરા કરવા માટે પાયલટ પર પ્રેમ વરસાવ્યો. એક યુઝરે લખ્યું, 'હું ખરેખર રડી રહ્યો છું. તે ખૂબ જ સુંદર છે.' એક અન્ય ટિપ્પણીમાં લખ્યું છે કે, 'વિશ્વાસ શક્તિશાળી છે, અને માતા-પિતાના આશીર્વાદ પણ એટલા જ શક્તિશાળી છે.'

એક ત્રીજાએ ટિપ્પણી કરી, જો તમે નક્કી કરી લો તો તમારા સપના હંમેશા સાકાર થશે.

ગયા મહિને, આ પ્રકારની જ એક ઘટનાએ ઈન્ટરનેટને ભાવુક કરી દીધું હતું. જ્યારે એક દીકરાએ પોતાના પિતાને તેમના 59મા જન્મદિવસ પર એક ડ્રીમ બાઇક આપીને સરપ્રાઈઝ આપી હતી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં, પુત્રને તેના પિતાને તેની મનપસંદ બાઇક ગિફ્ટ કરતો જોઈ શકાય છે, આ અનુભવ કર્યા પછી કે તે તેને કેટલો પ્રેમ કરે છે. તેના પિતા આ મનમોહક ભાવથી અભિભૂત થઈ ગયા અને ઇન્ટરનેટ આ ખુશી શેર કરવામાં સામેલ થઈ ગયું.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.